આગામી 7 જૂને આવતા ‘બકરી ઈદ’ના તહેવાર નિમિત્તે, પોલીસ કમિશ્નરનું જાહેરનામુ
સુરત, 2 જૂન (હિ.સ.)-આગામી તા.7/06/2025ના રોજ મુસ્લિમ ધર્મનો બકરી ઇદનો તહેવાર આવતો હોવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી ન દુભાય અને શહેરમાં શાંતિનું વાતાવરણ જળવાય રહે એ હેતુથી ઇ.પોલીસ કમિશનરશ્રી વાંબાગ જામીર દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જ
આગામી 7 જૂને આવતા ‘બકરી ઈદ’ના તહેવાર નિમિત્તે, પોલીસ કમિશ્નરનું જાહેરનામુ


સુરત, 2 જૂન (હિ.સ.)-આગામી તા.7/06/2025ના રોજ મુસ્લિમ ધર્મનો બકરી ઇદનો તહેવાર આવતો હોવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી ન દુભાય અને શહેરમાં શાંતિનું વાતાવરણ જળવાય રહે એ હેતુથી ઇ.પોલીસ કમિશનરશ્રી વાંબાગ જામીર દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા છે. જે અનુસાર સુરત શહેરમાં કોઇપણ વ્યકિતએ કોઇપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવા, કોઇપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા પર તેમજ 'બકરી ઇદ તહેવાર નિમિતે કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા.4 થી 10/6/2025 સુધી કરવામાં આવશે. તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande