પોરબંદર જિલ્લાના ભોગસર ગામનાં અરજનભાઇ પ્રાકૃતિક ખેતી કરીને મેળવે છે મબલખ આવક
પોરબંદર, 14 જૂન (હિ.સ.) : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે અને નહીવત ખર્ચ સાથે મબલખ કમાણી ખેડૂતો કરી રહ્યાં છે. પોરબંદર જિલ્લાના કુ
પોરબંદર જિલ્લાના ભોગસર ગામનાં અરજનભાઇ ભોગેસરા પ્રાકૃતિક ખેતી  કરીને મેળવે છે મબલખ આવક.


પોરબંદર જિલ્લાના ભોગસર ગામનાં અરજનભાઇ ભોગેસરા પ્રાકૃતિક ખેતી  કરીને મેળવે છે મબલખ આવક.


પોરબંદર જિલ્લાના ભોગસર ગામનાં અરજનભાઇ ભોગેસરા પ્રાકૃતિક ખેતી  કરીને મેળવે છે મબલખ આવક.


પોરબંદર જિલ્લાના ભોગસર ગામનાં અરજનભાઇ ભોગેસરા પ્રાકૃતિક ખેતી  કરીને મેળવે છે મબલખ આવક.


પોરબંદર, 14 જૂન (હિ.સ.) : રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે અને નહીવત ખર્ચ સાથે મબલખ કમાણી ખેડૂતો કરી રહ્યાં છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ભોગસર ગામના ખેડુત અરજનભાઇ જેઠાભાઈ ભોગેસરા વિવિધ શાકભાજી, ચણા, જીરૂ, જુવાર તેમજ મગ સહિતના ઉતપાદનોની પ્રાકૃતિક ખેતી કરે છે જેમાં ખાસ તો વિવિધ શાકભાજીની પ્રાકૃતિક ખેતીમાં તેઓ એક વિઘાના ઉત્પાદની સામે આશરે એકથી દોઢ લાખની આવક મેળવી રહ્યા છે. અરજનભાઈ ભોગેસરા પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ વિશેની વાત કરતા જણાવ્યુ કે,સરકારના આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મેળવીને આશરે છેલ્લા 12 વર્ષોથી પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલ અને 90 વિઘા જમીન પર પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોના સંપુર્ણ પણે ઉપયોગથી નહિવત ખર્ચે શ્રેષ્ઠ ઉત્પાદન મેળવુ છું. તેમજ ઉત્પાદિત ઉપજ રાજકોટ સહિતના શહેરોમાં બજાર કિમત કરતા 30 ટકા વધુ ભાવો મળે છે.

તેઓએ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં ઘટાડાની વાત કરતા જણાવ્યું હતું કે ,પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો અનુસરીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવેતો ઉત્પાદનમાં કોઈ જાતનુ નુકસાન થતુ નથી. અને સારૂ ઉત્પાદન મેળવી શકાય છે. વધુમાં તેઓએ જણાવ્યું કે ખેતીમાં રાસાયણીક ખાતર-દવાઓના ભરપુર ઉપયોગને કારણે કેન્સર સહિતના ભયંકર રોગો ઘણા વધી ગયા છે. અને તેમા લગભગ 80 ટકા માણસેને આ કેમીકલયુક્ત રસાયણોના લીધેજ કેન્સર થાય છે. તેથી જો પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો આ કેન્સરનુ પ્રમાણ ઓછુ થશે અને અન્ય પણ કેટલા બધા રોગો કે જે આના કારણે જ થાય છે તે પણ ઓછા થશે તેમજ આપણે તંદુરસ્ત રહિશુ. અને જિલ્લાના ખેડુતો મિત્રોને પણ અપીલ કરવામાં આવી હતી કે, બધા ખેડુતો પ્રાકૃતિક ખેતી કરે, પોતાના માટે નહિ તો ભવિષ્યની પેઢી માટે પણ પ્રાકૃતિક ખેતી કરવી પડશે.જમીનને બંજર બનતી રોકવા અને સારા સ્વાસ્થ માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય જેથી પ્રાકૃતિક ખેતી કરવામાં આવશે તો જ જમીન જીવંત રહશે નહિતર જમીન પુરેપુરી ખરાબ થઈ જશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande