પોરબંદર, 2 જૂન (હિ.સ.) રાણાવાવના આદિત્યાણા ગામે બાઈક અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલક ખેડૂતને ઇજા પહોંચતા સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે ખેડૂતને અકસ્માત નડ્યો હતો.
ભરતભાઇ જીતુભાઇ સગરકા નામના ખેડૂત પોતાની વાડી એથી મોટરસાઇકલ લઈ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આદિત્યાણા ગામે નજીક ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત માં બાઈક ચાલક ભરતભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા.ભરતભાઈને સારવાર અર્થે, પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya