અંકલેશ્વરની ત્રણ વિધાર્થિનીઓનો દીક્ષાંત સમારોહ માં શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયો
- ભારતનાટ્યમ આરંગેત્રમની સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરી હતી -સ્વરા,ધાર્મી અને પરિધિ 5 થી 7 વર્ષની ઉંમરેથી ભારતનાટ્યમની કઠિન તાલીમ લઈ રહી હતી -બ્રહ્મા,વિષ્ણુ, મહેશ તેમજ ગણપતિ અને હનુમાનજીની વંદના ,સાધના અને ભક્તિ દર્શાવી હતી ભરૂચ 2 જૂન (હિ.સ.)ઝીલ નૃત્ય
અંકલેશ્વરની ત્રણ વિધાર્થિનીઓનો દીક્ષાંત સમારોહ માં શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયો


અંકલેશ્વરની ત્રણ વિધાર્થિનીઓનો દીક્ષાંત સમારોહ માં શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયો


અંકલેશ્વરની ત્રણ વિધાર્થિનીઓનો દીક્ષાંત સમારોહ માં શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયો


અંકલેશ્વરની ત્રણ વિધાર્થિનીઓનો દીક્ષાંત સમારોહ માં શારદા ભવન ટાઉનહોલ ખાતે યોજાયો


- ભારતનાટ્યમ આરંગેત્રમની સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરી હતી

-સ્વરા,ધાર્મી અને પરિધિ 5 થી 7 વર્ષની ઉંમરેથી ભારતનાટ્યમની કઠિન તાલીમ લઈ રહી હતી

-બ્રહ્મા,વિષ્ણુ, મહેશ તેમજ ગણપતિ અને હનુમાનજીની વંદના ,સાધના અને ભક્તિ દર્શાવી હતી

ભરૂચ 2 જૂન (હિ.સ.)ઝીલ નૃત્ય નિકેતન નૃત્ય સંસ્થાના વિદ્યાર્થીઓ અને ગુરુ કલ્પના જૈનના શિષ્યો સ્વરા લીંબાચિયા , ધાર્મી અમીપરા અને પરિધિ લાડનો દીક્ષાંત સમારોહમાં માં શારદા ભવન ટાઉનહોલ અંકલેશ્વર ખાતે ભરતનાટ્યમ આરંગેત્રમની સફળતાપૂર્વક પ્રસ્તુતિ કરી હતી .આ ત્રણેય દીકરીઓ છેલ્લા આઠ વર્ષોથી એટલેકે 5 થી 7 વર્ષની ઉંમરે ભરતનાટ્યમની કઠિન તાલીમ લઈ રહ્યા હતા. જટીલ નૃત્ય તેમજ ઉત્કૃષ્ટ અભિનય દ્વારા તેઓએ આમંત્રિત મહેમાનો તેમજ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા .આ સાથે જ સંસ્થાની કુલ 90 વિદ્યાર્થીનીઓ આરંગેત્રમની કઠિન કસોટી પાર કરી ચૂકી છે.આ પ્રસંગે સૌરભ મહેતા, શ્રીકાંત વાઘ અને કિન્નરી મહેતાએ કાર્યક્રમમાં માનવંતા મહેમાન તરીકે હાજરી આપી હતી.

ભારતનાટ્યમ અને આરંગેત્રમ નૃત્યકળા એટલે ભારતીય સંસ્કૃતિમાં ભરતમુનિની નાટ્યકળાનો અનુવાંશિક ઉદ્દભવ કહી શકાય. મુખ્ય નૃત્યશૈલીઓમાંની એક ભારતનાટ્યમ તેની મુદ્રાઓ દ્વારા વિવિધ રસને ભાવ સહિત પ્રેક્ષક સુધી પહોંચાડે છે .રંગમંચ પર પદાર્પણ એટલે દક્ષિણ ભારતની ભાષામાં આરંગેત્રમ કહેવાય છે.આ કૃતિઓમાં પુષ્પાંજલિ,આલારિપ્પુ, જતીશ્વરમ્, શબ્દમ્, વર્ણમ,શિવ તાંડવ,હનુમાન ચાલીસા,શિવ કિર્તન ,તિલ્લાના અને મંગલમ્ ખૂબ સરસ બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ તેમજ ગણપતિ અને હનુમાનજીની વંદના ,સાધના અને ભક્તિ દર્શાવી હતી.આ દીકરીઓના ગુરુ કલ્પના જૈને 40 વર્ષથી ભારતનાટ્યમ ક્ષેત્રે કાર્યરત છે.3000 ઉપરાંત બાલિકાઓ તાલીમ લઈ ચૂકી છે.300 જેટલી વિધાર્થિનીઓ વિશારદ અને 8 વિધાર્થિની અલંકારની સરકાર માન્ય પદવી પ્રાપ્ત કરેલ છે .

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande