જૂનાગઢ સર્કિટ હાઉસ અંગે, પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલનો રદિયો
જુનાગઢ 2 જૂન (હિ.સ.) જૂનાગઢથી પ્રકાશિત થતા એક અખબારમાં સર્કિટ હાઉસ અંગે, હકિકત દોષ સાથે તા.૩૧/૫/૨૦૨૫ અને તા. ૧/૬/૨૦૨૫ના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જે અંગે જૂનાગઢ શહેરના મામલતદાર અને મનોરંજન સર્કિટ હાઉસના મેનેજરએ સ્પષ્ટતા સાથેનો રદિયો આપ્યો છે. ૮૭ - વ
જૂનાગઢ સર્કિટ હાઉસ અંગે, પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલનો રદિયો


જુનાગઢ 2 જૂન (હિ.સ.) જૂનાગઢથી પ્રકાશિત થતા એક અખબારમાં સર્કિટ હાઉસ અંગે, હકિકત દોષ સાથે તા.૩૧/૫/૨૦૨૫ અને તા. ૧/૬/૨૦૨૫ના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જે અંગે જૂનાગઢ શહેરના મામલતદાર અને મનોરંજન સર્કિટ હાઉસના મેનેજરએ સ્પષ્ટતા સાથેનો રદિયો આપ્યો છે.

૮૭ - વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પ્રક્રિયા હાલ ચાલું છે. જે સંદર્ભે બહારથી ઓબ્જર્વર તથા ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ આવતા હોય છે. જેમનાં માટે સર્કિટ હાઉસનો ઉપયોગ કરવામા આવે છે. આ સંદર્ભે મામલતદારએ સર્કિટ હાઉસની મુલાકાત લીધી હતી.તેમણે આ અંગે આપેલા રદિયા મુજબ આ સમય દરમિયાન ઉપસ્થિત કર્મચારીએ તમામ રૂમો નિરીક્ષણ માટે ખોલી બતાવ્યા હતા. તેમજ કાઉન્ટર ઉપર હાજર કર્મચારીને ઓબ્સર્વરને ફાળવેલ રૂમોની માહિતી ઉપલબ્ધ હતી.

જૂનાગઢના મનોરંજન સર્કિટ હાઉસના મેનેજના જણાવ્યાં પ્રમાણે સામાન્ય રીતે બપોરના ૧:૦૦ વાગ્યાના અરસામાં, ઘરે લંચ માટે ઘરે જવાનું થતુ હોય તે દરમિયાન બપોરે આશરે ૧૨:૪૫ કલાકે અમારા ઘર પર લંચ માટે ગયા હતા. આ સમય દરમિયાન એક અખબારના પ્રતિનિધિશ્રી સર્કિટ હાઉસમાં રિઝર્વેશન કે આગોતરી જાણ કર્યા વગર ૫-૬ ક્લાક મિટિંગ કરવા માટે આવ્યા હતા. તેઓએ આ દરમિયાન ખાસ નવા બિલ્ડિંગમાં રૂમનો આગ્રહ કર્યો હતો.

આ દિવસે ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ઓબ્જર્વર ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાના સચિવ અને અધિકારીઓ તેમજ ગુજરાત ઇલેક્શન કમિશન ઓફિસના અધિકારીઓ તથા બદલી ઉપર આવેલા ન્યાયાધીશઓ તેમજ અન્ય અધિકારીશ્રી માટે આગાઉથી સર્કિટ હાઉસના મુખ્ય બિલ્ડીંગમાં રૂમ રિઝર્વ થયેલ હતા. આથી સર્કિટ હાઉસના મુખ્ય બિલ્ડીંગમાં રૂમ ફાળવી શકાય તેમ ન હતાં. મનોરંજન સર્કિટ હાઉસના મેનેજર પ્રતિનિધિને હોદા મુજબ દિલારામ વિશ્રામગૃહમાં રૂમ ફાળવી આપવાનું જણાવ્યું હતું. પરંતુ પ્રતિનિધિ એ નવા વી.આઇ.પી. રૂમની જ માંગણી કરી હતી. જે મુજબના રૂમની ઉપ્લબ્ધતા ન હોવાથી દિલારામ વિશ્રામગૃહમાં રૂમ ફાળવી આપતા તે સ્વીકારવાની નારાજગી દર્શાવી તેઓ સર્કિટ હાઉસથી નિકળી ગયા હતાં.

આમ, નવા વીઆઈપી રૂમની માગણી ગ્રાહય ન રહેતા અખબારમાં તા.૩૧ મે અને તા. ૧ જુનના રોજ દોષભર્યા સમાચાર પ્રસીદ્ધ કરવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande