અંબાજી,22જુન
(હિ. સ) અંબાજી દાંતા પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને
મોટી નુકશાની તો થઈ જ છે પણ સાથે હાઇવે માર્ગ ઉપર ભૂસ્ખલન થતા હાઇવે માર્ગ પણ
અવરોધાયા છે મોડી રાત્રે પડેલા વરસાદના પગલે દાંતાથી ખેરાલુ જવાના માર્ગ ઉપર ભારે
ભૂસ્ખલન થતા આખો પહાડ જાણે રોડ ઉપર તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ જોવા મળી હતી આ
પહાડ તૂટી પડતા 200 મીટર
જેટલા વિસ્તારમાં માટી અને પથ્થરો ફેલાયા હતા જેના કારણે ચાર માર્ગીય રસ્તાનો એક
તરફો રસ્તો બંધ થઇ જવા પામ્યો હતો ને આ રસ્તો બંધ થતા અનેક વાહનચાલકોને મુશ્કેલી
નો સામનો કરવો પડ્યો હતો અને આવા ભૂસ્ખલનને લઇ અકસ્માતનો પણ સતત ભય વાહનચાલકોમાં
જોવા મળતો હોય છે જોકે આ આખો પહાડ હાઇવે માર્ગ પર તૂટી પડતા વાહનોની અવરજવર ન
હોવાથી મોટી ખુંવારી થતા અટકી છે ને હાલમાં આર એન્ડ બી વિભાગ દ્વારા પથ્થરો અને
માટીના કારણે બંધ થયેલો માર્ગ ચાલુ કરવા ચાર થી પાંચ જીસીબી ,ડમ્પર અને ટ્રેકટરની મદદથી પથ્થરોનો
કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી છે ને વહેલી તકે રસ્તો રાબેતા મુજબ ચાલુ થાય તેવા
પ્રયાસ આર એન્ડી બી તરફ થી કરાઈ રહ્યા છે.
જોકે અંબાજી દાંતા વચ્ચે પણ ઠેક ઠેકાણે
નાના મોટા ભૂસ્ખલનના કારણે માટી અને પથ્થરો પહાડ માંથી ધસી આવેલા જોવા મળી રહ્યા
છે ત્યારે હજી આખું ચોમાસુ બાકી છે ત્યારે જો ભારે વરસાદ થાય તો અંબાજી દાંતા
વચ્ચે ત્રિશુળીયા ઘાટમાં પણ અનેક તોતિંગ પથ્થરો લટકી રહ્યા છે તેમજ પદયાત્રીઓ માટે
પણ આ માર્ગ સૌથી વધુ ઉપયોગી હોવાથી તાકીદે પહાડો પરથી જોખમી પથ્થરો હટાવવા માંગ
કરાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ