ગાંધીનગર, 22 જૂન (હિ.સ.) : દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ આજે ગાંધીનગર માં રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ અવસરે બંને મહાનુભાવો વચ્ચે ઉષ્માભર્યો સંવાદ થયો હતો. મુલાકાત દરમિયાન દિલ્હી અને ગુજરાતના સામાજિક, શૈક્ષણિક, શહેરી વિકાસ, પર્યાવરણ સુધારણા અને જનકલ્યાણકારી યોજનાઓ વિશે વિગતવાર વિચાર-વિમર્શ થયો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેના વચ્ચે થયેલી આ શુભેચ્છા મુલાકાત દરમિયાન બંને રાજ્યોના અનુભવો, તથા રાષ્ટ્રીય દૃષ્ટિકોણથી સુશાસન, સ્વચ્છ ઊર્જા, પ્રાકૃતિક કૃષિ અને સાતત્યપૂર્ણ શહેરી વિકાસ જેવા મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. આ અવસરે સક્સેનાએ ગુજરાતની જનકલ્યાણકારી પહેલ અને પ્રાકૃતિક ખેતી જેવા અભિયાનોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ પ્રકારના નૂતન અભિગમ અને પ્રયાસો સમગ્ર દેશ માટે અનુસરણીય છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કચ્છી શાલ ઓઢાડીને વિનય કુમાર સકસેનાનું અભિવાદન કર્યું હતું. તેમણે ગુજરાતના વડનગરના તોરણની પ્રતિકૃતિ ભેટ આપી હતી. વિનય કુમાર સક્સેનાજીએ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનું અભિવાદન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ