વડોદરા, 22 જૂન (હિ.સ.)- આણંદ જિલ્લાના સુંદણ ગામના અર્જુનભાઈ હરિભાઈ સોલંકી, જે રણોલીની શર્મા પ્લાસ્ટિક કંપનીમાં 18 વર્ષથી નોકરી કરે છે, તેઓ ગઇકાલે રાત્રે ફરજ પરથી છૂટ્યા બાદ બાઇકથી ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન સાંકરદા ગામ પાસેના બ્રિજ ચડતા સમયે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. માથામાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. નંદેસરી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે