નવી દિલ્હી, 30 જૂન (હિ.સ.) હુલ દિવસના શુભ પ્રસંગે, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ સોમવારે, ભારતના આદિવાસી સમાજના અદમ્ય સાહસ અને અસાધારણ બહાદુરીને
શ્રદ્ધાંજલિ આપી.
ઐતિહાસિક સંથાલ ક્રાંતિને યાદ કરીને, પ્રધાનમંત્રીએ
આદરણીય સ્વાતંત્ર્ય સેનાનીઓ - સિદો-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો તેમજ વિદેશી શાસનના જુલમ સામે
પોતાના જીવનનું બલિદાન આપનારા અસંખ્ય અન્ય બહાદુર આદિવાસી શહીદોના કાયમી વારસાનું
સન્માન કર્યું.
પ્રધાનમંત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, “હૂલ ડે આપણને
આપણા આદિવાસી સમાજની અદમ્ય હિંમત અને અદ્ભુત બહાદુરીની યાદ અપાવે છે. ઐતિહાસિક
સંથાલ ક્રાંતિ સાથે જોડાયેલા આ ખાસ પ્રસંગે, હું સિદ્ધુ-કાન્હુ, ચાંદ-ભૈરવ અને ફૂલો-ઝાનો, તે બધા બહાદુર પુરુષો અને સ્ત્રીઓને મારી
હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે વિદેશી શાસનના અત્યાચારો સામે લડતા
પોતાના જીવનનું બલિદાન આપ્યું. તેમની બહાદુરીની ગાથા દેશની દરેક પેઢીને માતૃભૂમિના
આત્મસન્માનનું રક્ષણ કરવા માટે પ્રેરણા આપતી રહેશે.”
ઉલ્લેખનીય છે કે, 1855ના સંથાલ વિદ્રોહની યાદમાં દર વર્ષે 30 જૂને હૂલ દિવસ
ઉજવવામાં આવે છે. તે બ્રિટિશ સંસ્થાનવાદી શાસન અને સામંત-જમીનદારી વ્યવસ્થા સામેનો
પ્રથમ આદિવાસી વિદ્રોહ હતો. આ ચળવળનું નેતૃત્વ મુખ્યત્વે સિદ્ધુ-કાન્હુ દ્વારા
કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ