પોરબંદર ચોપાટી ખાતે દરિયામાં કરંટ છતા લોકો બે ફિકર
પોરબંદર, 9 જૂન (હિ.સ.) : તંત્રની બેદરકારી સામે આવી ચોમાસુ નજીક આવી રહ્યુ છે. ત્યારે દરિયામા ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તેવા સમયે પોરબંદરના દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. થોડા દિવસો પૂર્વે દરિયામા એક યુવાનનુ ડુબી જવાથી મ
ચોપાટી ખાતે દરિયામાં કરંટ છતા લોકો બે ફિકર :


પોરબંદર, 9 જૂન (હિ.સ.) : તંત્રની બેદરકારી સામે આવી ચોમાસુ નજીક આવી રહ્યુ છે. ત્યારે દરિયામા ભારે કરંટ જોવા મળી રહ્યો છે. તેવા સમયે પોરબંદરના દરિયામાં પણ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. થોડા દિવસો પૂર્વે દરિયામા એક યુવાનનુ ડુબી જવાથી મોત થયુ હતુ તેમ છતા

પોરબંદરની ચોપાટી ખાતે લોકો કોઇ ભય વિના દરિયામા પગ બોળવા અને નાહવાની મજા મણી રહ્યા છે. ત્યારે દુર્ધટના સર્જાશે તો જવાબદારી કોની તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જેમ ચોમાસુ નજીક આવશે તેમ દરિયામાં કરંટમા વધારો થશે.

પોરબંદરની ચોપાટી ખાતે મોટી સંખ્યામા પ્રવાસીઓ આવતા હોય ત્યારે તેઓ દરિયામાં પગ બોળવા માટે જતા આવી સ્થિતિમાં દરિયાના મોજા પોતાની સાથે તાણઇ જાઇ તેવો કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે દરિયા કિનારેને ખાસ કરીને ચોપાટી ખાતેના દરિયા કિનાર માટે જાહેરનામું પ્રસિધ્ધ કરી

અને બોર્ડ મારવા આવે તેવી પણ માંગ જોવા મળી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande