આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વેના બેટ્સમેન પીટર મૂરે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
ડબ્લિન/હરારે, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.) આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન પીટર મૂરે ગુરુવારે 35 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેમણે પોતાની કારકિર્દીમાં કુલ 15 ટેસ્ટ, 49 વનડે અને
રમત


ડબ્લિન/હરારે, નવી દિલ્હી, 11 જુલાઈ (હિ.સ.)

આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન પીટર મૂરે ગુરુવારે 35 વર્ષની ઉંમરે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેમણે પોતાની કારકિર્દીમાં

કુલ 15 ટેસ્ટ, 49 વનડે અને 21 ટી2૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

હરારે (ઝિમ્બાબ્વે)માં જન્મેલા, મૂરે નવેમ્બર 2014માં બાંગ્લાદેશ સામે વનડે સાથે આંતરરાષ્ટ્રીય

ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે 2016માં અફઘાનિસ્તાન

સામે ટી2૦ અને ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં

પ્રવેશ કર્યો હતો. ઝિમ્બાબ્વે માટે, તેમણે કુલ 8 ટેસ્ટ અને તમામ 49 વનડે અને 21 ટી2૦ મેચ રમી હતી.

મૂરે પાસે આઇરિશ પાસપોર્ટ હતો કારણ કે તેમની દાદી આઇરિશ

હતી. તેઓ ઓક્ટોબર 2022માં આયર્લેન્ડ

માટે રમવા માટે ક્વોલિફાય થયા હતા અને માર્ચ-એપ્રિલ 2023માં બાંગ્લાદેશ અને શ્રીલંકા પ્રવાસ માટે પ્રથમ

વખત આયર્લેન્ડની ટેસ્ટ ટીમમાં પસંદગી પામ્યા હતા. તેમણે આયર્લેન્ડ માટે કુલ 7 ટેસ્ટ મેચ રમી હતી.

જોકે, મૂરે આયર્લેન્ડ માટે ક્યારેય વનડેકે ટી-20 આંતરરાષ્ટ્રીય

મેચ રમી નથી. ઝિમ્બાબ્વે માટે, તેણે ટેસ્ટ ક્રિકેટમાં 35.53 ની સરેરાશથી પાંચ અડધી

સદી ફટકારી હતી, પરંતુ આયર્લેન્ડ

માટે આ સરેરાશ ઘટીને 14.35 થઈ ગઈ અને તેણે

ફક્ત એક અડધી સદી ફટકારી. જુલાઈ 2024 માં ઝિમ્બાબ્વે સામેની જીતમાં તેની અડધી સદી આવી.

પીટર મૂર 17 ક્રિકેટરોમાં જોડાયા છે જેમણે બે અલગ અલગ દેશો માટે ટેસ્ટ

ક્રિકેટ રમી છે. તેમની કારકિર્દી બંને દેશો વચ્ચે વહેંચાયેલી હતી, પરંતુ તેમના

જુસ્સા અને સમર્પણે તેમને બંને ટીમોમાં એક ખાસ ઓળખ આપી.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande