ભાજપે, સ્વામી વિવેકાનંદને તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી
નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી સ્વામી વિવેકાનંદને તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે એક્સ પર જણાવ્યું હતું કે,” તેઓ મહાન આધ્યાત્મિક ગુરુ અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત
એક્સ


નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી સ્વામી વિવેકાનંદને

તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે એક્સ પર

જણાવ્યું હતું કે,” તેઓ મહાન આધ્યાત્મિક ગુરુ અને યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત

સ્વામી વિવેકાનંદને, તેમના નિર્વાણ દિવસ પર શ્રદ્ધાંજલિ આપે છે, જેમણે વિશ્વમાં

ભારતીય સંસ્કૃતિ સ્થાપિત કરી હતી.”

તેમણે કહ્યું કે,” ભારતીય સંસ્કૃતિના વૈભવ અને મહાનતાથી

વિશ્વને વાકેફ કરનારા સ્વામી વિવેકાનંદ, યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણનો આધાર

માનતા હતા. તેમના દ્વારા સ્થાપિત, રામકૃષ્ણ મિશન આજે દેશભરમાં જાહેર સેવાના

ક્ષેત્રમાં અનુકરણીય યોગદાન આપી રહ્યું છે.”

તેમણે કહ્યું કે,” યુવાનોમાં

ચારિત્ર્ય નિર્માણ અને રાષ્ટ્ર ઉત્થાનની ભાવના જાગૃત કરવામાં તેમનું યોગદાન

અવિસ્મરણીય છે.”

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande