હરદીપ સિંહ પુરીએ, આઇટીઆર ફાઇલ કરનારાઓની સંખ્યામાં વધારો દેશના મજબૂત અર્થતંત્રનું પ્રતીક ગણાવ્યું
નવી દિલ્હી, 2 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ, છેલ્લા 10 વર્ષમાં દેશમાં આવકવેરા રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરનારાઓની સંખ્યામાં થયેલા મોટા વધારાને ભારતના મજબૂત અર્થતંત્રનું પ્રતીક ગણાવ્યું છે. પુરીએ શુક્રવારે એક્સપોસ્ટ
કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરી


નવી દિલ્હી, 2 જુલાઈ (હિ.સ.) કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ સિંહ પુરીએ, છેલ્લા 10 વર્ષમાં દેશમાં આવકવેરા રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરનારાઓની સંખ્યામાં થયેલા મોટા વધારાને ભારતના મજબૂત અર્થતંત્રનું પ્રતીક ગણાવ્યું છે.

પુરીએ શુક્રવારે એક્સપોસ્ટમાં લખ્યું હતું કે, નાણાકીય વર્ષ 2013-14માં 3.6 કરોડ લોકોએ આઇટીઆર ફાઇલ કર્યું હતું, જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં આ આંકડો વધીને 8.5 કરોડ થયો છે. તેમણે આ વૃદ્ધિની પ્રશંસા કરતા કહ્યું કે, હાલમાં લગભગ 95 ટકા આઇટીઆર 30 દિવસમાં પ્રક્રિયા કરવામાં આવી રહ્યા છે, જે કરદાતાઓ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મંત્રી પુરીએ કહ્યું કે, આ વલણ દેશના બદલાતા વિચાર અને વધતી જતી પ્રામાણિકતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે, જ્યારે કરવેરાનું સંચાલન પારદર્શિતા અને પ્રામાણિકતા સાથે કરવામાં આવે છે, ત્યારે તે નાગરિકોના સશક્તિકરણનું એક મજબૂત માધ્યમ બની જાય છે. પુરીએ આ પરિવર્તન માટે મોદી સરકારની કલ્યાણકારી યોજનાઓને પણ શ્રેય આપ્યો. તેમણે કહ્યું કે, આ યોજનાઓથી માત્ર લોકોને જ ફાયદો થયો નથી પરંતુ દેશની આર્થિક ભાગીદારીમાં સામાન્ય નાગરિકોની ભાગીદારી પણ વધી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande