ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદ, ઇડી સમક્ષ હાજર થયા, બેંક કૌભાંડમાં 3 કલાક પૂછપરછ કરી
હૈદરાબાદ, નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) તેલુગુ ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદ શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયા. ઇડી અધિકારીઓએ રામકૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ અને યુનિયન બેંક કૌભાંડ કેસમાં અરવિંદની લગભગ 3 કલાક પૂછપરછ
ઇડી


હૈદરાબાદ, નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.)

તેલુગુ ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદ શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થયા. ઇડી અધિકારીઓએ

રામકૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ અને યુનિયન બેંક કૌભાંડ કેસમાં અરવિંદની લગભગ 3 કલાક પૂછપરછ

કરી. બાદમાં, અધિકારીઓએ અલ્લુ

અરવિંદને આવતા અઠવાડિયે ફરીથી ઇડીસમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો.

કેન્દ્રીય તપાસ એજન્સી એ જાણવા માટે તપાસ કરી રહી છે કે,”

શું અલ્લુ અરવિંદનો રામકૃષ્ણ ઇલેક્ટ્રોનિક્સ અને રામકૃષ્ણ ટેલિટેકટ્રોનિક્સમાં

નાણાકીય ગેરરીતિઓ સાથે કોઈ સંબંધ છે. આ ઘટનાક્રમ ફિલ્મ જગતમાં ચર્ચાનો વિષય બન્યો

છે. ફિલ્મ નિર્માતા અલ્લુની ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી. રામકૃષ્ણ

ઇલેક્ટ્રોનિક્સ અને રામકૃષ્ણ ટેલિટેકટ્રોનિક્સમાં 2018-19 વચ્ચે થયેલા બેંક કૌભાંડ અંગે તેમની પૂછપરછ

કરવામાં આવી. ઇલેક્ટ્રોનિક્સના નામે બે કંપનીઓ બનાવવામાં આવી હતી. આ બંને કંપનીઓએ

યુનિયન બેંક પાસેથી મળીને 101 કરોડ રૂપિયાની

લોન લીધી હતી. એવો આરોપ છે કે, આ લોનનો ઉપયોગ વ્યક્તિગત જરૂરિયાતો માટે કરવામાં

આવ્યો હતો. એટલું જ નહીં,

લીધેલી લોન પણ

ચૂકવવામાં આવી ન હતી.”

તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર,”આ બે કંપનીઓ

દ્વારા ખરીદાયેલી મિલકતો અને કરવામાં આવેલા વ્યવહારોમાં અલ્લુ અરવિંદનું નામ મુખ્ય

છે. તેથી જ ઇડીઅધિકારીઓએ આજે

​​તેમની પૂછપરછ કરી. ઇડી એ આવતા અઠવાડિયે ફરીથી તપાસ માટે હાજર રહેવાની નોટિસ આપી

છે. અલ્લુ અરવિંદે આ તપાસ અંગે મીડિયાને કંઈ કહેવાનો ઇનકાર કર્યો હતો. આ કૌભાંડમાં

અરવિંદની ભૂમિકા વિશે હજુ સુધી માહિતી મળી નથી. અલ્લુ અરવિંદ હાલમાં ગીતા આર્ટ્સના

બેનર હેઠળ ઘણી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર / નાગરાજ રાવ / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande