રાજ્યસભાનું 268મું સત્ર 21 જુલાઈથી શરુ થશે
નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) રાજ્યસભાનું 268મું સત્ર 21 જુલાઈથી શરૂ થશે. આજે જાહેર કરાયેલા સત્તાવાર સંસદીય બુલેટિન મુજબ, રાજ્યસભાનું સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કુલ 21 બેઠકો યોજાશે. સંસદીય બુલેટિન મુજબ, રાષ્ટ્રપતિએ સોમવાર, 21 જુલ
સંસદ ભવન


નવી દિલ્હી, 04 જુલાઈ (હિ.સ.) રાજ્યસભાનું 268મું સત્ર 21 જુલાઈથી શરૂ થશે. આજે જાહેર કરાયેલા સત્તાવાર સંસદીય બુલેટિન મુજબ, રાજ્યસભાનું સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન કુલ 21 બેઠકો યોજાશે.

સંસદીય બુલેટિન મુજબ, રાષ્ટ્રપતિએ સોમવાર, 21 જુલાઈ, 2025ના રોજ નવી દિલ્હીમાં રાજ્યસભાની બેઠક બોલાવી છે. કામની આવશ્યકતાઓને આધીન, આ સત્ર ગુરુવાર, 21 ઓગસ્ટ, 2025ના રોજ પૂર્ણ થવાનું છે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને કારણે 13 અને 14 ઓગસ્ટે સંસદની કોઈ બેઠક નહીં હોય.

આગામી ચોમાસુ સત્ર ઓપરેશન સિંદૂર પછીનું પ્રથમ સંસદ સત્ર હશે. આ કાર્યવાહી ભારત દ્વારા 07 મેના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવી હતી. પહેલગામમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ વર્ષે જાન્યુઆરીમાં સંસદનું બજેટ સત્ર યોજાયું છે.

હિન્દુસ્થાન સમાચાર/વિજયાલક્ષ્મી/મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande