રાહુલ ગાંધીનો પ્રધાનમંત્રીને પત્ર, પંજાબ પૂર પીડિતો માટે વ્યાપક રાહત પેકેજની માંગણી
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ₹1,600 કરોડની પ્રારંભિક રાહત રકમને નુકસાનની તુલનામાં અપૂરતી ગણાવી હતી. રા
પત્ર


નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર (હિ.સ.) લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ

ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર

કરાયેલી ₹1,600 કરોડની

પ્રારંભિક રાહત રકમને નુકસાનની તુલનામાં અપૂરતી ગણાવી હતી.

રાહુલ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું હતું કે,” પૂરને કારણે 400,000 એકર ડાંગરનો પાક

નાશ પામ્યો છે અને 10 લાખથી વધુ

પ્રાણીઓ માર્યા ગયા છે. લાખો લોકો, ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના લોકો, બેઘર થઈ ગયા છે.

હજારો એકર જમીન પાણીમાં ડૂબી ગઈ છે, અને ગામડાઓ સંપર્કથી કપાઈ ગયા છે.”

રાહુલ ગાંધીએ કહ્યું કે,” તેમની મુલાકાત દરમિયાન, તેમણે લોકોની

વેદનાને નજીકથી જોઈ. આ સંકટના સમયમાં, પંજાબના લોકોએ પરસ્પર સહયોગ અને માનવતાવાદનું ઉદાહરણ

સ્થાપિત કર્યું છે. લોકો અજાણ્યાઓ માટે પોતાના ઘર ખોલી રહ્યા છે અને પોતાના

મર્યાદિત સંસાધનોથી મદદ કરી રહ્યા છે.”

કોંગ્રેસના નેતાએ કહ્યું કે,” પૂરને કારણે પંજાબમાં ઓછામાં

ઓછા ₹20,000 કરોડનું નુકસાન

થયું છે અને કેન્દ્ર સરકારે આ કટોકટીનો સામનો કરવા માટે બહાદુર

પ્રતિભાવ એટલે કે, વધુ નક્કર પગલાં લેવા જોઈએ. તેમણે માંગ કરી કે સરકાર

તાત્કાલિક નુકસાનનું મૂલ્યાંકન કરે અને વ્યાપક રાહત પેકેજ પૂરું પાડે.

રાહુલ ગાંધીએ કહ્યું, પંજાબ ફરી ઉભરી આવશે, પરંતુ આ મુશ્કેલ

સમયમાં, આપણે દરેક ખેડૂત, દરેક સૈનિક અને

દરેક પરિવારને ખાતરી આપવી જોઈએ કે આખો દેશ તેમની સાથે ઉભો છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / આકાશ કુમાર રાય

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande