તનુશ્રી દત્તાએ, ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યું
નવી દિલ્હી, 14 માર્ચ (હિ.સ.) અભિનેત્રી તનુશ્રી દત્તા, ફરી એકવાર મનોરંજન ઇન્ડસ્ટ્રી માં શોષણ અંગેના પોતાના નિવેદનોને કારણે સમાચારમાં છે. મી ટુ ચળવળ દરમિયાન હેડલાઇન્સમાં આવેલી તનુશ્રીએ તાજેતરમાં ઇન્ડસ્ટ્રી ના આંતરિક વાતાવરણ વિશે ગંભીર દાવા કર્યા છે
અભિનેત્રી તનુશ્રી દત્તા


નવી દિલ્હી, 14 માર્ચ (હિ.સ.) અભિનેત્રી તનુશ્રી દત્તા, ફરી એકવાર મનોરંજન ઇન્ડસ્ટ્રી માં શોષણ અંગેના પોતાના નિવેદનોને કારણે સમાચારમાં છે. મી ટુ ચળવળ દરમિયાન હેડલાઇન્સમાં આવેલી તનુશ્રીએ તાજેતરમાં ઇન્ડસ્ટ્રી ના આંતરિક વાતાવરણ વિશે ગંભીર દાવા કર્યા છે. તેણી કહે છે કે ગ્લેમર જગતમાં ઘણા નવા આવનારાઓનું શોષણ થાય છે અને ઘણીવાર માનસિક અને શારીરિક શોષણનો સામનો કરવો પડે છે.

પ્રશંસા ફક્ત સુંદરતા માટે થાય છે.

તનુશ્રીએ કહ્યું કે, ઈન્ડસ્ટ્રીમાં લોકોની ઘણીવાર તેમની સુંદરતા અથવા સારા દેખાવ માટે તરત જ પ્રશંસા કરવામાં આવે છે, જ્યારે વાસ્તવિક પ્રતિભા પર ભાગ્યે જ ધ્યાન આપવામાં આવે છે. તેણીના મતે, નવા આવનારાઓને ઘણીવાર મીટિંગ્સ ના નામે ખોટી જગ્યાએ અથવા ખોટા લોકો પાસે મોકલવામાં આવે છે, જેનાથી તેઓ મૂંઝવણમાં મુકાય છે.

ચોકલેટ નો અર્થ મોટા સપનાઓની લાલચ

અભિનેત્રીએ સમજાવ્યું કે, બોલીવુડમાં ચોકલેટ શબ્દનો ઉપયોગ ઘણીવાર મહત્વાકાંક્ષા અને મોટા સપનાઓના લાલચના પ્રતીક તરીકે થાય છે. તેણી કહે છે કે, કલાકારો જ્યારે સતત પ્રશંસા મેળવે છે ત્યારે તેઓ વિશ્વાસપાત્ર બની જાય છે, અને આ વિશ્વાસનો ઉપયોગ તેમને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવે છે. તેણીએ નવા કલાકારોને સંયમ જાળવવા અને સાચા અને ખોટા વચ્ચે તફાવત કરવાની સલાહ આપી.

શિકારી અપેક્ષાઓનો ઉપયોગ હથિયાર તરીકે કરે છે

તનુશ્રીએ કહ્યું કે, જેમ માતા-પિતા બાળપણમાં અજાણ્યાઓથી સાવધ રહેવાનું કહે છે, તેવી જ રીતે મનોરંજન ઉદ્યોગમાં પણ સાવધ રહેવું મહત્વપૂર્ણ છે. તેમના મતે, કેટલાક લોકો કલાકારોની અપેક્ષાઓ અને ઇચ્છાઓનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે તે અન્ય લોકોને ચેતવણી આપવા માટે આ શેર કરી રહી છે.

હું કામ માટે મારી જિંદગીનો સોદો નહીં કરું.

તનુશ્રીએ સ્પષ્ટતા કરી કે, કામ કરતાં તેમના માટે આત્મસન્માન વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, ઉદ્યોગના ગ્લેમર પાછળ, ઘણા કઠોર સત્યો છુપાયેલા છે અને તે કોઈપણ કિંમતે સમાધાન કરવાના પક્ષમાં નથી.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande