
પાટણ, 02 મે (હિ.સ.)ચાણસ્મા તાલુકાના નિવૃત પ્રાથમિક શિક્ષકોની નાણાં ધિરનારી સહકારી મંડળીના સભાસદ ગણેશભાઈ રેવાભાઈ ચૌધરીના અવસાન બાદ મંડળી દ્વારા તેમના વારસદારને ₹39,600ની મૃત્યુ સહાય આપવામાં આવી હતી. આ એક માનવતા ની ઉત્કૃષ્ટ ઉદાહરણ જોવા મળ્યું હતું.
આ સહાયની રકમ મંડળીના 198 સભાસદોમાંથી પ્રત્યેક દીઠ ₹200 ઉઘરીને એકત્રિત કરવામાં આવી હતી, જે સહકાર અને એકતાનું ઉદાહરણ છે. આવી રીતે જો લોકો ને મદદ મળે તો ખરેખર જ સારી બાબત માનવામાં આવે છે.
મૃતકના પુત્ર દિનેશભાઈ ગણેશભાઈ ચૌધરીને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીના પ્રમુખ નાગજીભાઈ દરબાર સહિત અન્ય આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મૃતક ના પરિવાર ના લોકોએ મંડળી નો આભાર માન્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ