કોડીનાર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો સમૂહ લગ્ન મહોત્સ યોજાયો
ગીર સોમનાથ, 02 મે (હિ.સ.) : કોડીનારની પવિત્ર ધરા પર, ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન આયોજન મંડળ દ્વારા આયોજિત આ મંગલ પ્રસંગ એટલે સમાજની એકતા, સંસ્કાર અને ભવ્ય પરંપરાનો અદભૂત ત્રિવેણી સંગમ! ચૌહાણની ખાણ, તા. કોડીનાર (ગીર સોમનાથ) ખાતે સમાજના ખૂ
ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનું સમૂહ લગ્ન મહોત્સ


ગીર સોમનાથ, 02 મે (હિ.સ.) : કોડીનારની પવિત્ર ધરા પર, ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ સમૂહ લગ્ન આયોજન મંડળ દ્વારા આયોજિત આ મંગલ પ્રસંગ એટલે સમાજની એકતા, સંસ્કાર અને ભવ્ય પરંપરાનો અદભૂત ત્રિવેણી સંગમ! ચૌહાણની ખાણ, તા. કોડીનાર (ગીર સોમનાથ) ખાતે સમાજના ખૂણે-ખૂણેથી ઉમટી પડેલા હજારો ભાઈઓ-બહેનોની સાક્ષીમાં જ્યારે ૨૨૦ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા, ત્યારે એક અદભૂત દ્રશ્ય સર્જાયું. આ વિશાળ મેદની આપણી સામાજિક શક્તિ અને સંગઠનનો પરચો છે.

સમૂહ લગ્ન એ માત્ર ખર્ચ બચાવવાનું સાધન નથી, પણ સમાજમાં સમરસતા અને એકતા સ્થાપવાનું સબળ માધ્યમ છે.

લગ્નના બિનજરૂરી ખર્ચ ટાળીને એ જ નાણાં આપણા સંતાનોના ઉચ્ચ શિક્ષણમાં વાપરીએ. જો શિક્ષણનું સ્તર ઊંચું આવશે, તો જ આપણો સમાજ પ્રગતિના નવા શિખરો સર કરશે.

નવદંપતીઓને સુખી, સમૃદ્ધ અને અખંડ સૌભાગ્યવતી દાંપત્ય જીવનના ખૂબ ખૂબ આશીર્વાદ.

વાલીઓને સમાજહિતમાં સાદગીપૂર્ણ અને પ્રેરણાદાયી નિર્ણય લેવા બદલ અભિનંદન.

રાત-દિવસ એક કરીને આટલું ભવ્ય આયોજન સફળ બનાવનાર કોડીનાર આયોજન મંડળના તમામ કર્મઠ સભ્યોની નિષ્ઠાને કોટિ-કોટિ વંદન.

વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ.

એકતા અને સાદગીનો જીવંત સંદેશ.

આવો, આપણે સૌ સાથે મળીને આ ભવ્ય મહોત્સવને વધાવીએ અને સમાજની એકતાને વધુ મજબૂત બનાવીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande