ઇઝરાયેલનો દક્ષિણ લેબનાન પર હુમલો, ઓછામાં ઓછા 15 લોકોના મોત, 12 ગામોને ખાલી કરવાની ચેતવણી
બેરૂત (લેબનાન), નવી દિલ્હી, 20 મે (હિ.સ.) ઇઝરાયેલ દ્વારા દક્ષિણ લેબનાન પર કરવામાં આવેલા તાજેતરના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલે દક્ષિણ લેબનાનના 12 ગામોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 16 એપ્રિલના રોજ લેબનાન અને ઇઝરા
દક્ષિણ લેબનાન પર હુમલો


બેરૂત (લેબનાન), નવી દિલ્હી, 20 મે (હિ.સ.) ઇઝરાયેલ દ્વારા દક્ષિણ લેબનાન પર કરવામાં આવેલા તાજેતરના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલે દક્ષિણ લેબનાનના 12 ગામોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. 16 એપ્રિલના રોજ લેબનાન અને ઇઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધવિરામ (સીઝફાયર) છતાં દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કેટલાક મીડિયા હાઉસમાં બિનસત્તાવાર સૂત્રોના હવાલાથી મૃત્યુઆંક 19 હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

લેબનાનના અખબાર 'લોરિએન્ટ ટુડે' ના અહેવાલ મુજબ, ઇઝરાયેલે મંગળવારે રક્તપાત મચાવવાની સાથે જ દક્ષિણ લેબનાન અને બેકા ઘાટીના 12 ગામોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. જેમાં દક્ષિણ ક્ષેત્રનું મહત્વનું ગામ નબાતીહ તાહતા પણ સામેલ છે. અહેવાલ અનુસાર, મંગળવારે ઇઝરાયેલના હુમલામાં કફર સિરમાં ચાર લોકો માર્યા ગયા હતા. જેમાં બે મહિલાઓ પણ સામેલ છે. માર્યા ગયેલા લોકોની ઓળખ સફિયા બદ્ર અલ-દિન, અલી નાઝિહ કામિહા, નાઝિહા કામિહા અને અહેમદ અલ-સબ્લિની તરીકે થઈ છે.

એવું જણાવવામાં આવ્યું છે કે, દેઇર કાનન અલ-નહરમાં ઇઝરાયેલે ટાઉન હોલ પાસે આવેલા એક ઘરને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં સાત લોકોના મોત થયા હતા. જેમાં ચાર બાળકો સામેલ છે. નગરપાલિકા પરિષદના પ્રમુખ અલી કુસ્સૈરના જણાવ્યા અનુસાર, જે ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું તે એક મોટા પરિવારનું ઘર હતું. કાટમાળ નીચે દબાયેલા ત્રણ લોકોને શોધવા માટે શોધખોળ અભિયાન હજુ પણ ચાલુ છે. આ સિવાય હારૌફ (નબાતીહ) પર થયેલા ઇઝરાયેલી ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું. આ હુમલો નગરપાલિકા મુખ્યાલય નજીક થયો હતો. જેમાં ગામની નગરપાલિકા પરિષદના સભ્ય નાસિર નાસરનું મોત થયું હતું. ફ્રૌન (બિંત જુબૈલ) પર થયેલા હુમલામાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું. અન્ય એક ડ્રોન હુમલામાં એક મોટરસાઇકલ સવારનું મોત થયું હતું.

નબાતીહમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતું. આ સિવાય બપોરે 2 વાગ્યે ઇઝરાયેલી સૈનિકોએ કફર હમ્મામ અને કફર શુબા (હસબયા) ના બહારના વિસ્તારમાંથી સાત લોકોનું અપહરણ કર્યું હતું. સિવિલ ડિફેન્સના જણાવ્યા અનુસાર, તેમાંથી ચાર લોકો સીરિયન મજૂર હતા. જેમને બાદમાં મુક્ત કરવામાં આવ્યા હતા. સિવિલ ડિફેન્સે જણાવ્યું કે ત્રણ નાગરિકો હજુ પણ હિરાસતમાં છે.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande