પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે, સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે
નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બુધવારે દિલ્હીના ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી રાષ્ટ્
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 1 ઓક્ટોબર (હિ.સ): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બુધવારે દિલ્હીના ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી રાષ્ટ્ર માટે આરએસએસ ના યોગદાનને ઉજાગર કરતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે. આરએસએસ આ વર્ષે વિજયાદશમીથી 2026 માં વિજયાદશમી સુધી તેના શતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે.

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. આરએસએસ ની સ્થાપના ડૉ. કેશવ બલીરામ હેડગેવાર દ્વારા 1925 માં મહારાષ્ટ્રના નાગપુરમાં સ્વયંસેવક-આધારિત સંગઠન તરીકે કરવામાં આવી હતી. તેનો ધ્યેય નાગરિકોમાં સાંસ્કૃતિક જાગૃતિ, શિસ્ત, સેવા અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવાનો છે. શતાબ્દી ઉજવણી ફક્ત આરએસએસ ની ઐતિહાસિક સિદ્ધિઓનું સન્માન કરતી નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક યાત્રામાં તેના કાયમી યોગદાન અને રાષ્ટ્રીય એકતાના સંદેશને પણ પ્રકાશિત કરે છે. આરએસએસ, રાષ્ટ્રીય પુનર્નિર્માણ માટે એક અનોખી, લોકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી ચળવળ છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande