રાજપુર ગામમાં શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે દશેરાના પાવન દિવસે નવચંડી હવનનું ભવ્ય આયોજન
પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) પાટણ તાલુકાના રાજપુર ગામમાં શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે દશેરાના પાવન દિવસે નવચંડી હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તિભાવથી ઉપસ્થિત રહ્યા હતા. વિજયાદશમી
રાજપુર ગામે દશેરાના દિવસે નવચંડી હવન સાથે બ્રહ્માણી માતાજીનો પાટોત્સવ ઉજવાયો


રાજપુર ગામે દશેરાના દિવસે નવચંડી હવન સાથે બ્રહ્માણી માતાજીનો પાટોત્સવ ઉજવાયો


પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) પાટણ તાલુકાના રાજપુર ગામમાં શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરના પાટોત્સવ નિમિત્તે દશેરાના પાવન દિવસે નવચંડી હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ભક્તિભાવથી ઉપસ્થિત રહ્યા હતા.

વિજયાદશમીના પવિત્ર દિવસે યોજાયેલા આ હવન યજમાન તરીકે ધ્રુમિલકુમાર અશ્વિનભાઈ પરિવારે ધર્મલાભ મેળવ્યો હતો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં શ્રીફળની આહુતિ આપી પૂજનવિધિ સંપૂર્ણ કરાઈ હતી.સમસ્ત ગ્રામજનો માટે આ નવચંડી હવનના દર્શનનો શુભ અવસર બન્યો હતો. ભક્તિભર્યા માહોલ વચ્ચે ગામજનોએ માતાજીના આશીર્વાદ લીધા હતા અને સમગ્ર સ્થળે ધાર્મિક અને પાવન વાતાવરણ જોવા મળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande