પાટણની કર્મભૂમિ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનો સમાપન પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો
પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) પાટણની કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા ૨૮ વર્ષથી ચાચર ચોકમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીની સ્થાપના કરીને રહેતો સમૂહ ભક્તિભાવથી ગરબે ઘૂમે છે. નાનાંથી લઇ મોટા બધા રહીશો માતાજીના સ્તુતિગા
પાટણની કર્મભૂમિ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવનો  સમાપન પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો


પાટણ, 2 ઓક્ટોબર (હિ.સ.) પાટણની કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા ૨૮ વર્ષથી ચાચર ચોકમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે, જ્યાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીની સ્થાપના કરીને રહેતો સમૂહ ભક્તિભાવથી ગરબે ઘૂમે છે. નાનાંથી લઇ મોટા બધા રહીશો માતાજીના સ્તુતિગાન અને ગરબાની મોજ માણે છે. ગરબે ભાગ લેનાર લોકોને લાણી રૂપે ઇનામ આપવામાં આવે છે અને આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે.

નવમા દિવસે નવરાત્રી મહોત્સવનો સમાપન પ્રસંગ ભવ્ય રીતે ઉજવાયો હતો. શ્રદ્ધાળુ રહીશો તરફથી જગત જનની મા અંબાને વળામણા આપવામાં આવ્યા હતા. ઢોલના નાદ સાથે માતાજીની મૂર્તિને સમગ્ર સોસાયટીમાં ફરાવતા દરેક ઘરમાં લઈ જવામાં આવી, જ્યાં કુમકુમ તિલક કરી આરતી અને પૂજન કરવામાં આવ્યું.

આ પૂણ્ય પ્રસંગે સોસાયટીના રહીશો બોલ મારી અંબે, જય જય અંબે ના નાદ સાથે માતાજીની ભક્તિમાં લીન બન્યા હતા. આખા સમારોહ દરમિયાન માતાજી સર્વેને સુખી રાખે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. નવરાત્રીના અંતે, દશેરાના શુભ દિવસે નવચંડી યજ્ઞના આયોજન સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થવાની છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande