પોરબંદર, 4 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદરના સોઢાણા ગામે ખેડુતના મોતના પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી મગફળીના દવાના છંટકાવ કરતી વેળા અસર થતા ખેડુતનુ મોત થયુ હતુ સોઢાણા ગામે રહેતા અરજનભાઇ કેશુભાઇ કારાવદરા નામનો યુવાન પોતાના ખેતરમા મગફળીના પાકા દવાનો છંટકાવ કરતો હતો તે દરમ્યાન ઝેરી દવાની અસર થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયાં તેમનુ મોત નિપજયુ હતુ આ બનાવને લઇ ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya