જામનગર-રાજકોટ હાઈવે પર ટોઈંગ કરીને લઈ જવાઈ રહેલી રીક્ષા સાથે બાઈક અથડાતા યુવકનું મોત
જામનગર, 4 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક રીક્ષાની સાથે બાઇક અથડાઈ પડતાં સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેના પિતરાઈ ભાઈને ઈજા થઈ છે. આ અકસ્
અકસ્માત પ્રતીકાત્મક તસવીર


જામનગર, 4 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઇંગ કરીને લઈ જવાઈ રહેલી એક રીક્ષાની સાથે બાઇક અથડાઈ પડતાં સર્જાયેલા અકસ્માતમાં રાજકોટના યુવાનનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે તેના પિતરાઈ ભાઈને ઈજા થઈ છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે રાજકોટમાં વિજયનગરમાં રહેતો ધવલ અજીતભાઈ ચાવડા નામનો 19 વર્ષનો યુવાન પોતાના પિતરાઈ ભાઈ ઉદય ચાવડા સાથે રાજકોટથી જામનગર કબુતરની ઝાળી ફીટ કરવા માટે બાઈક પર બેસીને જઈ રહ્યા હતા. જે દરમિયાન ધ્રોલ નજીક એક રીક્ષા છકડાની પાછળ બંધ રિક્ષાને ટોઈંગ કરીને લઈ જવાઈ રહી હતી, જે રીક્ષા બાઈક સાથે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં ફરિયાદી યુવાનના પિતરાઈ ભાઈ ઉદયભાઇ ચાવડાને ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાય તે પહેલાજ તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરવામાં હતું, જયારે ફરીયાદી યુવાનને ઇજા થઈ હતી. જે બનાવ અંગે તેમણે જીજે 10 ટી.ઝેડ 3660 નંબરની રીક્ષાના ચાલક સામેં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande