ગીર સોમનાથ 5 ઓક્ટોબર (હિ.સ.)
ગીર સોમનાથ ઉનાના કાળાપાણ ખાતેથી ખનીજના વહનસબબ ૪ વાહનો જપ્ત કરી રૂ. ૧.૮૫ લાખનો દંડ વસૂલ કરાયો હતો.
જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ કચેરીની ટીમ દ્વારા મોજે.કાળાપાણ તા. ઉના ખાતે સઘન ચેકીંગની કામગીરી હાથ ધરી કુલ ૪ વાહનને બિન અધિકૃત રીતે ખનીજ વહન સબબ અટકાયત કરી રૂ. ૧.૮૫ લાખની નિયમો અનુસાર દંડની રકમની વસૂલાત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ