સોમનાથ જિલ્લામાં આર.ટી.આઈ.ની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ વર્ચ્યુઅલી રીતે સેમિનારમાં જોડાયા
સોમનાથ,6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે 5 થી 12 ઓક્ટોબર દરમિયાન Rights to Information Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર
જિલ્લામાં આર.ટી.આઈ.ની કામગીરી


સોમનાથ,6 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ કેન્દ્ર સરકારની સુચના મુજબ, દર વર્ષે 5 થી 12 ઓક્ટોબર દરમિયાન Rights to Information Act. સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા “Roles & Responsibility of the different stakeholders” વિષય ઉપર આર.ટી.આઇ. સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં આર.ટી.આઈ સપ્તાહની ઉજવણીનો પ્રારંભ થયો હતો.

આ એક દિવસીય સેમિનારમાં ઈણાજ, જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતેથી આર.ટી.આઈ.ની પ્રત્યક્ષ કામગીરી સાથે સંકળાયેલા જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યૂઅલી જોડાયાં હતાં.

ગુજરાત માહિતી આયોગ એ સરકારી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુની ભૂમિકા ભજવી રહ્યું છે. માહિતી આયોગની ટીમે RTIના ક્ષેત્રમાં રાજ્યના નાગરિકોનાં હિતમાં અનેક એવા નિર્ણયો લીધા છે જેના પરિણામે આજે ગુજરાત RTIના પારદર્શક અને ઝડપી ઉકેલ લાવવામાં અગ્રીમ હરોળનું રાજ્ય બન્યું છે.

સ્વ. અટલ બિહારી બાજપેયીના સમયમાં નાગરિકોને સાચી માહિતી મળી રહે તે માટે, આ RTI Act -2005 બનાવવામાં આવ્યો હતો. કાયદો જ્યારે બને છે ત્યારે તેનો ગેરલાભ ઉઠાવવા અને કેટલાક નાગરિકો તેને આવકનો સાધન બનાવવાનો પ્રયત્નો કરતા હોય છે. 500-1000 કિ.મી દૂરથી કેટલાક ગુનાહિત પ્રવૃત્તિ કરતા આર.ટી.આઈ એક્ટવિસ્ટો ઉદ્યોગકારોને RTIના નામે હેરાન કરતા હોય છે. આ પ્રકારની ટોળકીઓનુ દેશમાં એક નેટવર્ક છે. આ નેટવર્કને નાબૂદ કરવા માટે ગુજરાત સરકાર બધા વિભાગો સાથે સંકલનમાં રહીને અગ્રેસર કામગીરી કરી છે.

સુરત જિલ્લામાં ફફ્ત એક જ વર્ષમાં આરટીઆઈનો દુરપયોગ કરનાર શખ્સો સામે ૮૫ થી વધારે કેસો કરીને 105 લોકોની ધરપકડ કરવામાં સુરત પોલીસને સફળતા મળી છે. અમદાવાદ શહેરમાં ૧૨ જેટલા કેસો માત્ર ૧૫ દિવસમાં કરવામાં આવ્યા હતા. આ ગુનેગારોને જેલ ભેગા કરવા ઉપરાંત પાસા હેઠળ પણ ગુનો નોંધી સજા આપવાનું કામ સૌ પ્રથમ કાર્ય ગુજરાત પોલીસે શરૂ કર્યું છે. આ કાયદો લોકોના હિતમાં બનાવવામાં આવેલો કાયદો છે.

ઉલ્લેખનીય છે કે, આર.ટી.આઈ સપ્તાહ અંતર્ગત આજે દેશ – દુનિયામાં કેટલાક નાગરિકો ગુજરાત માહિતી આયોગની સોશિયલ મીડિયા ચેનલોથી જોડાઈને આર.ટી.આઈ કાયદાની સમજણ લઇ રહ્યા છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા અરજી મળવાથી તેના નિકાલની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે.

ગુજરાત માહિતી આયોગની વેબસાઇટને નવીનીકરણ કરીને વધુ પ્રજાલક્ષી બનાવવા આવ્યું છે. આ વેબસાઈટ પર સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના ચુકાદા, અધિનિયમ તેમજ રાજ્ય સરકારની સૂચનાઓ મુકવામાં આવે છે. નાગરિકોને RTIને લગતી માહિતી મળી રહે તે પ્રકારની માહિતી વેબસાઈટ પર મુકવામાં આવે છે.

નોંધનીય છે કે, ગુજરાત માહિતી આયોગ દ્વારા ૧.૪૦ લાખથી વધુ અપીલનો નિકાલ કરવામાં આવ્યો છે. આજે ગુજરાત માહિતી આયોગ દ્વારા માત્ર ૬૦-૯૦ દિવસમાં અપીલનો નિર્ણય કરવામાં આવે છે. આ ઝડપી અપીલનું નિર્ણય કરનાર ગુજરાત રાજ્ય માહિતી આયોગ પ્રથમ છે. ગુજરાત માહિતી આયોગ દ્વારા અધિનિયમની જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ નહિ કરતા જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીને સુધારણા તેમજ સમજણ માટે એક તક આપવામાં આવે છે. જો જરૂર જણાય તો તેમની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે, આયોગ દ્વારા છેલ્લા પાંચ વર્ષોમાં 500 જેટલા કેસોમાં જાહેર માહિતી અધિકારીઓને રૂ.42 લાખથી વધુનો દંડ કરવામાં આવ્યો છે.

આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ગુજરાત માહિતી આયોગ દ્વારા ત્રણ લઘુપુસ્તિકાઓના આધારે આર્ટિફિશ્યિલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કરીને માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત અરજદાર, જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારીની ફરજો અને જવાબદારીઓ અંગેનો વીડિયો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.

આ વીડિયો કોન્ફરન્સમાં ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી કે.આર.પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.પી.ચૌહાણ સહિત ખેતીવાડી, આરોગ્ય, શિક્ષણ જેવા વિવિધ વિભાગોમાં આર.ટી.આઈ.ની પ્રત્યક્ષ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande