પોરબંદર, 6 ઓક્ટોબર (હિ.સ.) પોરબંદર વનવિભાગ દ્વારા 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોરબંદરના છાંયામાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળના નર્સિંગ કોલેજના ઓડિટોરિયમ હોલમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
બાળકોને જંગલ વન્યપ્રાણી તથા વનસ્પતિ જીવ વિષે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.
ખાસ કરીને પોરબંદર સુરખાબી નગરી તરીકે ઓળખાય છે ત્યારે પક્ષીઓ વિષે પણ સમજણ આપવામાં આવી હતી. આ કામમાં આર.એફ.ઓ સામત ભમ્મર, બી.ચૌહાણ, તથા પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સિદ્ધાર્થ ખાંડેકર તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના વિવેક કુમાર ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya