
જૂનાગઢ 15 નવેમ્બર (હિ.સ.) મુખ્યમંત્રી, ગુજરાત રાજય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ ઉકેલ માટે લોકોએ તેમની ફરીયાદ રજુ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી જવું ન પડે, માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
જે અંતર્ગત નવેમ્બર માસમાં આગામી તા. ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ સમય સવારના ૧૧:૦૦ કલાકે વિસાવદર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. તેમ મામલતદાર વિસાવદરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ