ઓછામાં ઓછા 10 રોપા નાળિયેરના રોપા વાવવાં માટે નાણાકીય સહાય મળશે
સોમનાથ, 24 નવેમ્બર (હિ.સ.) નાળિયેર વાવેતર વિસ્તારને વધારવા તેમજ યોગ્ય વિસ્તારોમાં નાળિયેરીના બગીચા સ્થાપવા અને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નાળિયેર હેઠળના વિસ્તારની વિસ્તરણ યોજના હ
નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા


સોમનાથ, 24 નવેમ્બર (હિ.સ.) નાળિયેર વાવેતર વિસ્તારને વધારવા તેમજ યોગ્ય વિસ્તારોમાં નાળિયેરીના બગીચા સ્થાપવા અને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નાળિયેર વિકાસ બોર્ડ દ્વારા નાળિયેર હેઠળના વિસ્તારની વિસ્તરણ યોજના હેઠળ બે સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર 56000 ની સહાય આપવામાં આવે છે.

જે ખેડૂતો અને સંસ્થાઓ જમીન ધરાવે છે અને વૈજ્ઞાનિક નાળિયેરની ખેતી પદ્ધતિઓ અપનાવીને ઓછામાં ઓછા 10 રોપા (0.08 હેક્ટર) નાળિયેરના રોપા વાવવા ઇચ્છુક છે. તેઓ આ યોજના હેઠળ નાણાકીય સહાય મળવા પાત્ર છે, જેમાં મહત્તમ ૨ હેક્ટર (160 રોપા/હેક્ટર) સુધી સહાય આપવામાં આવશે.

પાત્રતા ધરાવતા લાભાર્થીઓ રોપાઓ રોપ્યા પછી https://coconutboard.gov.in/docs/aepgujarat.pdf પર ઉપલબ્ધ પ્રથમ વર્ષની સબસિડી અરજીઓ ડાઉનલોડ કરવાની રહેશે. અરજી ફોર્મમાં દર્શાવેલ અન્ય દસ્તાવેજો સાથે ભરેલી અરજીઓ નાળિયેર વિકાસ બોર્ડ, જૂનાગઢ, ગુજરાત 362001ને મોકલવાની રહેશે. બોર્ડ દ્વારા પ્રક્રિયા કર્યા પછી, પાત્ર સબસિડી સીધી લાભાર્થીના બેંક ખાતામાં મોકલવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande