



પોરબંદર, 1 ડિસેમ્બર (હિ.સ.) : કલા નગરી પોરબંદરમાં મહાનગરપાલિકા સંચાલિત મહારાણા નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે પોરબંદરની કલા સંસ્થા ઇનોવેટિવ આર્ટ ટ્રસ્ટ, પોરબંદર દ્વારા શહેરની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીમાં ચિત્રકલા માં અભિરુચિ ખીલે તેવા ઉમદા હેતુથી એક આર્ટ ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમનુ ઉદઘાટન પ્રસિદ્ધ આયુર્વેદાચાર્ય ડો.સનત કુમાર જોષી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતુ. આ આર્ટ ક્લાસીસ દર શનિવાર તથા રવિવારે સંસ્થાના સુપ્રસિદ્ધ આર્ટિસ્ટ દ્વારા પેન્સિલ વર્ક, વોટર કલર, એક્રેલિક કલર જેવા વિવિધ પ્રકારના માધ્યમ માં લાઈવ પોટ્રેઈટ, લેન્ડસ્કેપ્સ વગેરે નું માર્ગદર્શન આપવામાં આવશે. આ પ્રસંગે ઈનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ બલરાજ પાડલિયા, આર્ટિસ્ટ દિનેશ પોરિયા, કરશનભાઈ ઓડેદરા, સમીર ઓડેદરા, ધારા જોષી, વત્સલ કિશોર તથા નંદિની કિશોર ઉપસ્થિત રહી જુનિયર આર્ટિસ્ટસને માર્ગદર્શન આપ્યુ હતુ. સંસ્થાના આર્ટિસ્ટ કમલ ગોસ્વામી, શૈલેષ પરમાર તથા દિપક વિઠલાણી નવોદીત કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya