
ગીર સોમનાથ 1 ડિસેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં સાયબર ક્રાઈમ ડામવા અને જાગૃતિ ફેલાવવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એસ.વી. રાજપુત નાઓની રાહબરી હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ દ્રારા સાયબર અવેરનેસ કામગીરી કરવામાં આવેલ.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્રારા સાયબર જાગૃતી માટે મણીબેન કોટક અંગ્રેજી માધ્યમ માધ્યમિક સ્કુલ વેરાવળ ખાતે વિધાર્થીઓને 'Cyber Crime Awareness' પ્રોગ્રામ દ્રારા વિધાર્થીઓને સાયબર ક્રાઈમ શુ છે? ફ્રોડ થયે શુ કરવું અને શુ ના કરવુ, ખોટી ઓળખ આપીને થતી છેતરપીંડી, ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વિશેની ખાસ જાણકારી જેમાં Telegram તેમજ Whatsapp ના માધ્યમથી કોઈપણ જગ્યાએ રોકાણ કરવું નહીં એ અંગે ખાસ સુચના આપવામાં આવેલ તથા OTP આપ્યા વગર થતા ફ્રોડ થયે શું કરવું શું ના કરવું? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે Instagram, Facebook, Whatsapp, Twitter (X) વગેર,વોટ્સએપ હેક થયે તેને રીકવર કરવા માટેના પગલા તેમજ ઓનલાઈન શોપિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માહિતગાર કરવામાં આવેલ.
પ્રોગ્રામમાં હાજર રહેનાર:-
1. શિક્ષકોની સંખ્યા : 8
2. વિધાર્થીઓની સંખ્યા : 200
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ