નાગાલેન્ડ હોર્નબિલ મહોત્સવ, દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આદિવાસી વારસાનું શક્તિશાળી પ્રતીક:- પ્રધાનમંત્રી
નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે નાગાલેન્ડના હોર્નબિલ મહોત્સવને દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આદિવાસી વારસાનું શક્તિશાળી પ્રતીક ગણાવતા તેમણે કહ્યું કે,” પૂર્વોત્તર એક નવા અને આત્મવિશ્વાસથી
મોદી


નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે

નાગાલેન્ડના હોર્નબિલ મહોત્સવને દેશની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આદિવાસી વારસાનું

શક્તિશાળી પ્રતીક ગણાવતા તેમણે કહ્યું કે,” પૂર્વોત્તર એક નવા અને આત્મવિશ્વાસથી

ભર્યા ભારતની ઓળખ છે.”

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાના 'એક્સ' પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રી

મોદીએ કહ્યું કે,” આ તહેવાર માનવ ભાવનાનું સંપૂર્ણ પ્રતિબિંબ છે અને ભૂતકાળ અને

વર્તમાનનું અદ્ભુત મિશ્રણ છે.” તેમણે કહ્યું કે,” જ્યારે પૂર્વોત્તર પ્રગતિ કરશે

અને ચમકશે, ત્યારે જ આપણો

આખો દેશ પ્રગતિ કરી શકશે.”

નાગાલેન્ડની અનોખી સાંસ્કૃતિક ઓળખ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ

કહ્યું કે,” આ રાજ્ય માત્ર ઉત્સવોનું આયોજન કરતું નથી પરંતુ તે પોતે ઉજવણીનું

પ્રતીક છે. આ રાજ્યને 'ઉત્સવોની ભૂમિ' કહેવાનું સન્માન

આપે છે.”

ઉલ્લેખનીય છે કે, હોર્નબિલ મહોત્સવ ભારતની સાંસ્કૃતિક

પ્રતિભા અને પૂર્વોત્તરના વધતા આત્મવિશ્વાસનો ઉત્સવ છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનૂપ શર્મા

---------------

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande