અમરેલીમાં વિકલાંગ સહાયતા કેમ્પ, 300થી વધુ લાભાર્થીઓને સહાય
અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.) આશીર્વાદ વિકલાંગ સહાયતા કેન્દ્ર, સાયલા દ્વારા અમરેલી ખાતે વિશાળ પાયે વિકલાંગ સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવસેવા કાર્યક્રમનું માનવ મંદિરના સંત ભક્તિ બાપુના કરકમળે પ્રાગટ્ય કરીને ઔપચારિક રીતે ખુલ્લું મૂક
અમરેલીમાં વિકલાંગ સહાયતા કેમ્પ, 300થી વધુ લાભાર્થીઓને સહાય


અમરેલી,23 ડિસેમ્બર (હિ.સ.)

આશીર્વાદ વિકલાંગ સહાયતા કેન્દ્ર, સાયલા દ્વારા અમરેલી ખાતે વિશાળ પાયે વિકલાંગ સહાયતા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માનવસેવા કાર્યક્રમનું માનવ મંદિરના સંત ભક્તિ બાપુના કરકમળે પ્રાગટ્ય કરીને ઔપચારિક રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

આ કેમ્પ દરમિયાન આશરે 300થી વધુ વિકલાંગ લાભાર્થીઓને ઉપયોગી સાધન-સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સાયકલ, પગ (કૃત્રિમ અંગ), ચશ્માં, કાનમાં સાંભળવાના ઈયરફોન (હિયરિંગ એઇડ) સહિતની અનેક પ્રકારની સહાય સામગ્રીનો સમાવેશ થાય છે. આ સહાયથી વિકલાંગ લાભાર્થીઓને રોજિંદા જીવનમાં સ્વાવલંબન અને ગતિશીલતા મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો.

ભક્તિ બાપુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે માનવસેવા એ જ સાચી ઈશ્વર સેવા છે અને સમાજના નબળા તથા જરૂરિયાતમંદ વર્ગને સહાય કરવી એ દરેકની નૈતિક ફરજ છે. આશીર્વાદ વિકલાંગ સહાયતા કેન્દ્ર દ્વારા કરવામાં આવતી આ પ્રકારની કામગીરી સમાજ માટે પ્રેરણારૂપ છે.

આ કેમ્પથી વિકલાંગ લાભાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી અને આયોજકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande