વેરાવળ આઇ.ટી.આઇ. ખાતે સ્ટાર્ટઅપ અંગે સેમિનાર યોજાયો
ગીર સોમનાથ, 25 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્ર સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. આગામી સમય સ્ટાર્ટઅપનો છે. ત્યારે ભાવિ પેઢીને તે અંગેનું અત્યારથી જ જ્ઞાન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે. રાજ્યનો યુવા ક
વેરાવળ આઇ.ટી.આઇ. ખાતે


ગીર સોમનાથ, 25 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાત ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્ર સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. આગામી સમય સ્ટાર્ટઅપનો છે. ત્યારે ભાવિ પેઢીને તે અંગેનું અત્યારથી જ જ્ઞાન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો કરવામાં આવે છે.

રાજ્યનો યુવા કૌશલ્યવાન અને સામર્થ્યવાન બને તે માટે આઇ.ટી.આઇ. સ્તરે જ તેને જ્ઞાન મળે અને તેના કૌશલ્યનું નિર્માણ થાય તે માટે તાલીમ સાથે માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

આવા જ ઉપક્રમમાં અત્યારે સમગ્ર રાજ્યમાં ઉજવાઇ રહેલ સુશાસન સપ્તાહના ભાગરૂપે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વેરાવળ, આઈ.ટી.આઈ. ખાતે સ્ટાર્ટઅપ અંગે સેમિનાર આયોજિત કરવામાં આવ્યો હતો.

આ સેમિનારમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉદ્યોગ અધિકારી પી.એમ.પટેલ દ્વારા વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની વિવિધ સ્ટાર્ટઅપ યોજનાઓ વિશેની વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં આઇ.ટી.આઇ.ના ટ્યૂટર, ઇન્સ્ટ્રક્ટર, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande