જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત નાતાલ પર્વ ઉપર તાપમાનનો પારો 16 ડીગ્રી નજીક રહેશે
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : નાતાલનો દિવસ નજીક આવી રહ્યો છે, દર વર્ષે ડીસેમ્બર મહીનામાં નાતાલના સમયે કડકડતી ઠંડીનો માહોલ જોવા મળે છે, ત્યારે આ વખતે હજુ એવી ઠંડી પડી નથી, આજે સવારે ૬ વાગ્યા આસપાસ શહેરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું અને હાઇ
તાપમાન


જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : નાતાલનો દિવસ નજીક આવી રહ્યો છે, દર વર્ષે ડીસેમ્બર મહીનામાં નાતાલના સમયે કડકડતી ઠંડીનો માહોલ જોવા મળે છે, ત્યારે આ વખતે હજુ એવી ઠંડી પડી નથી, આજે સવારે ૬ વાગ્યા આસપાસ શહેરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું અને હાઇવે ઉપર તો ગાઢ ધુમ્મસ હોવાના કારણે વાહન ચાલકો ભારે પરેશાન થયા હતાં, આ વખતે કોણ જાણે કેમ લઘુતમ તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે ગયું નથી, એક વખત ૧૨ ડીગ્રી થયું હતું તેથી લોકોમાં પણ આશ્ર્ચર્ય ફેલાયું છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૯ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૦ થી ૧૫ કિ.મીની ઝડપે રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું.

ધીમે-ધીમે ઠંડી વધતી જાય છે ત્યારે જી.જી.હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસના કેસો વધી રહ્યા છે, જો કે હજુ પણ બપોરના ભાગમાં ગરમી જોવા મળે છે, જો ઠંડી પડે તો જીરૂ, બાજરી, ઘઉં, ચણા જેવા શિયાળુ પાકને પણ ફાયદો થાય તેમ છે, જો કે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ઠંડીનું પ્રમાણ વઘ્યું છે.

જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળે છે, શહેરમાં મચ્છરનો ઉપદ્રવ પણ વધી ગયો છે, ઋતુ બદલાતા તાવ, શરદી, ઉધરસના કેસો પણ વઘ્યા છે, જામનગર શહેર અને ગામડામાં કમળાના દર્દીઓનું પ્રમાણ વઘ્યું છે અને ખાનગી હોસ્પિટલમાં વધુ બે દર્દીઓને કમળાની અસર જોવા મળી છે, આ વખતે શિયાળામાં ખાસ કોઇ ઠંડી પડી નથી, હવામાન ખાતાએ મંગળ અને બુધ કડકડતી ઠંડી પડશે તેવી આગાહી કરી હતી, પરંતુ આગાહી મુજબ ઠંડી પડી નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande