બિહારના મુખ્યમંત્રી દ્વારા હિજાબ ખેંચવાના મુદ્દે જામનગરમાં વિરોધ : મહિલા કોંગ્રેસનું આવેદન, 'આપ'ના દેખાવો
જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : બિહારના હીજાબ પ્રકરણના પડઘા જામનગરમાં પડયા છે, મહીલા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી નિતીશકુમારનો આક્રોશ સાથે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો, આ બાબતે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે
હિજાબની ઘટનાનો જામનગરમાં વિરોધ


જામનગર, 23 ડિસેમ્બર (હિ.સ.) : બિહારના હીજાબ પ્રકરણના પડઘા જામનગરમાં પડયા છે, મહીલા કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી નિતીશકુમારનો આક્રોશ સાથે વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો, આ બાબતે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે, મુસ્લિમ સમાજની મહીલાઓની મર્યાદા એના હીજાબને લીધે જળવાયેલી રહે છે.

​સમાજની મર્યાદા એટલે મુસ્લિમ મહીલા તેના હીજાબ દ્વારા જાળવી રાખે છે અને જાહેરમાં કયાંય હીજાબ ઉતારતી નથી, ત્યારે બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારને એવી મર્યાદા ખુલ્લી પાડવાની શું જરૂર લાગી ? તે જાહેરમાં એક મહીલાનો હીજાબ ખેંચીને શું સાબીત કરવા માંગે છે ? આ આવેદન આપતી વેળાએ મહીલા શહેર કોંગ્રેસ પ્રમુખ રચનાબેન નંદાણીયા, રોશનબેન નાઇ, રંજનબેન ગજેરા સહિતની મહીલા આગેવાનો જોડાઇ હતી.

બીજી બાજુ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પણ આ પ્રકરણમાં શહેરમાં દેખાવો કરવામાં આવ્યા હતા અને મુખ્યમંત્રી નીતિશકુમારની કરતૂતનો વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે જાહેરમાં સૂત્રોચ્ચાર કરી દેખાવો કરતા કાર્યકરોની અટકાયત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande