દહેરાદૂન અને ગદરપુરમાં એક ગેરકાયદેસર મઝાર તોડી પાડવામાં આવી, ધામી સરકારનું અભિયાન ચાલુ
- રાજ્યભરમાં અત્યાર સુધીમાં 570 ગેરકાયદેસર, મઝાર દૂર કરવામાં આવી દહેરાદૂન, નવી દિલ્હી,27 ડિસેમ્બર (હિ.સ.) ગેરકાયદેસર અતિક્રમણ સામે ધામી સરકારનું અભિયાન ચાલુ છે. આના ભાગ રૂપે, વહીવટીતંત્રે ઉધમ સિંહ નગર જિલ્લાના
ધામી


- રાજ્યભરમાં

અત્યાર સુધીમાં 570 ગેરકાયદેસર,

મઝાર દૂર કરવામાં આવી

દહેરાદૂન, નવી દિલ્હી,27 ડિસેમ્બર

(હિ.સ.) ગેરકાયદેસર અતિક્રમણ સામે ધામી સરકારનું અભિયાન ચાલુ છે. આના ભાગ રૂપે, વહીવટીતંત્રે ઉધમ

સિંહ નગર જિલ્લાના દહેરાદૂન અને ગદરપુરમાં, એક-એક ગેરકાયદેસર મઝારનું બાંધકામ તોડી

પાડ્યું. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, “જાહેર જમીન પરથી અતિક્રમણ દૂર કરવા માટે આ પગલું લેવામાં

આવ્યું હતું. કાર્યવાહી કરતા પહેલા, વહીવટીતંત્રે સ્થળ પર નોટિસ પ્રક્રિયા પૂર્ણ કરી. ધામી

સરકારના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં રાજ્યભરમાં 570 ગેરકાયદેસર મઝારો

દૂર કરવામાં આવી છે.”

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું છે કે,” ઉત્તરાખંડમાં

સરકારી જમીન પચાવી પાડવાની પ્રથા સહન કરવામાં આવશે નહીં. સરકારી જમીન પચાવી

પાડવાની આ પ્રથા બંધ કરવામાં આવશે.”

ઉધમ સિંહ નગરના એડીએમ પંકજ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે,”જિલ્લા

મેજિસ્ટ્રેટ નીતિન ભદૌરિયાના નિર્દેશને અનુસરીને, એસડીએમ રિચા સિંહે સરકારી બગીચામાં બનેલા

ગેરકાયદેસર માળખાને દૂર કરવા માટે નોટિસ જારી કરવાની કાર્યવાહી કરી હતી. સરકારી

બગીચા વિભાગના અધિકારીઓએ પણ જિલ્લા વહીવટીતંત્રને આ માળખાને દૂર કરવાની વિનંતી

કરતો પત્ર સુપરત કર્યો હતો. બે અઠવાડિયાની સમયમર્યાદા પછી પણ, કોઈએ આ માળખા

અંગેની નોટિસનો જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ, શનિવારે વહેલી સવારે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં

આવ્યું.”

ઉત્તરાખંડમાં ધામી સરકારે અત્યાર સુધીમાં આવા 570 ગેરકાયદેસર મઝારો

દૂર કર્યા છે. ગઈકાલે રાત્રે, દેહરાદૂન વહીવટીતંત્રે દહેરાદૂનમાં હરિદ્વાર રોડ પર એક

ગેરકાયદેસર મઝાર તોડી પાડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેહરાદૂન સિટી મેજિસ્ટ્રેટ પ્રત્યુષ સિંહ અને એસડીએમ હરિ

ગિરીના નેતૃત્વ હેઠળની મ્યુનિસિપલ ટીમે શુક્રવારે જેસીબી મશીનનો ઉપયોગ કરીને

હરિદ્વાર રોડ પર કૈલાશ હોસ્પિટલની સામે રસ્તાની વચ્ચે સ્થિત ગેરકાયદેસર મઝારને

તોડી પાડી છે. ત્યારબાદ કાટમાળ દૂર કરવામાં આવ્યો અને તેનો નિકાલ કરવામાં આવ્યો.”

વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, “માળખા નીચે કોઈ માનવ અવશેષો મળ્યા નથી.”

વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે,” તોડી પાડતા પહેલા સ્થળ

પર એક નોટિસ લગાવવામાં આવી હતી. જાહેર રસ્તાઓ પરથી અવરોધો દૂર કરવા અંગેના

નિયમોનું પાલન કરીને અને નિર્ધારિત સમયમાં કોઈ જવાબ ન મળ્યા બાદ આ કાર્યવાહી

કરવામાં આવી હતી.”

ઉલ્લેખનીય છે કે, આ ગેરકાયદેસર બાંધકામ અંગે અનેક સંસ્થાઓએ

અગાઉ વહીવટીતંત્રને આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં તેને માર્ગ પર ટ્રાફિકમાં અવરોધ હોવાનું

દર્શાવવામાં આવ્યું હતું. અગાઉ, અહીં એક ટીન શેડ બનાવવામાં આવ્યો હતો, જેને

વહીવટીતંત્રે પહેલાથી જ દૂર કરી દીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / રાજેશ કુમાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande