સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગીર સોમનાથ દ્રારા Cyber Crime Awareness પ્રોગ્રામ યોજાયો
ગીર સોમનાથ, 3 ડિસેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જીલ્લામાં સાયબર ક્રાઈમ ડામવા અને જાગૃતિ ફેલાવવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે


ગીર સોમનાથ, 3 ડિસેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ જીલ્લામાં સાયબર ક્રાઈમ ડામવા અને જાગૃતિ ફેલાવવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સુચના તથા માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. એસ.વી. રાજપુતની રાહબરી હેઠળ સાયબર ક્રાઈમ પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ દ્વારા સાયબર અવેરનેસ કામગીરી કરવામાં આવેલ હતી.

જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્રારા સાયબર જાગૃતી માટે સેન્ટમેરી અંગ્રેજી માધ્યમ સ્કૂલ વેરાવળ ખાતે વિધાર્થીઓને 'Cyber Crime Awareness' પ્રોગ્રામ દ્રારા વિધાર્થીઓને સાયબર ક્રાઈમ શુ છે? ફ્રોડ થયે શુ કરવું અને શુ ના કરવુ, ડિજીટલ અરેસ્ટ, ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ક્રિપ્ટો કરન્સી, શેર બજાર, દ્રારા થતા સાયબર ફ્રોડ વિશેની ખાસ જાણકારી જેમાં Telegram તેમજ Whatsapp ના માધ્યમથી કોઈપણ જગ્યાએ રોકાણ કરવું નહીં એ અંગે ખાસ સુચના આપવામાં આવેલ તથા OTP આપ્યા વગર થતા ફ્રોડ થયે શું કરવું શું ના કરવું? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે Instagram, Facebook, Whatsapp, Twitter(X) વગેરેમાં સાવચેતી રાખવા. આ બાબત તેમજ યુવાનોમાં વોટ્સએપ અને ઇમેઇલ હેક થયે તેને રીકવર કરવા માટેના પગલા તેમજ ઓનલાઇન શોપિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે માહિતગાર કરવામાં આવેલ હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande