
મહેસાણા,3 ડિસેમ્બર (હિ.સ.) નાગરિકોને વધુ સુવિધાસભર પર્યાવરણમાં સેવાઓ મળી રહે તે હેતુથી સંયુક્ત રાજ્યવેરા કમિશ્નર, વિભાગ-4, મહેસાણાની કચેરીનું સમારકામ પૂર્ણ થતાં આજ રોજ તેનો સન્માનપૂર્વક શુભારંભ કરવામાં આવ્યો.
કચેરીના નવોકરણ અંતર્ગત સ્ટાફ અને નાગરિકો માટે જરૂરી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં આધુનિક ઓફિસ ફર્નિચર, ડિજિટલ સર્વિસ કાઉન્ટર, આરામદાયક વેઇટિંગ એરિયા, દસ્તાવેજ વ્યવસ્થામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારતી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે.
શુભારંભ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું કે, રાજ્યવેરા વિભાગ સરકારની આવક વૃદ્ધિ અને વ્યાપારી હિતોને સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કચેરીના નવા સ્વરૂપથી નાગરિક અને વેપારીઓ સાથેના કાર્યમાં પારદર્શિતા, ગતિ અને સુલભતા વધશે.
તેઓએ વધુમાં ઉમેર્યું કે, ટેક્નોલોજી આધારિત સેવા પ્રદાન તથા નાગરિકકેન્દ્રિત વલણ વિભાગનું મુખ્ય લક્ષ્ય છે, અને નવી સુવિધાઓ આ અભિગમને વધુ મજબૂત બનાવશે.
આ નવી શરૂઆત સાથે મહેસાણા જિલ્લામાં રાજ્યવેરા સેવાઓ વધુ સુવ્યવસ્થિત, ઝડપી અને અસરકારક રીતે આપવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR