
ગીર સોમનાથ, 4 ડિસેમ્બર (હિ.સ.) માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં અનેક સ્થળોએ રસ્તાના સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કોડીનાર-જામવાળા રોડને પહોળો કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરી અંતર્ગત જામવાળા ગામતળમાં ૭ મીટર પહોળાઈમાં સી.સી.રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરી પૂર્ણ થયા બાદ ગ્રામજનો અને જામવાળા પર્યટને આવતા પર્યટકોને રોડની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ