માળિયામાં સીએચસી હોસ્પિટલ 30નાં બદલે 50 બેડની બનાવાશે, ગીરનાં ગ્રામ્ય પંથકનાં લોકોને લાભ મળશે
ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) માળિયામાં રેલવે સ્ટેશન રોડ પર 30 બેડની હોસપિટલ કાર્યરત છે. આ હોસ્પિટલનું બિલ્ડિંગ જૂનું હોવાથી 15 કરોડના ખર્ચે નવી સીએચસી હોસ્પિટલંન બિલ્ડિંગ બનાવવા મંજૂરી મળી છે. માળિયા તાલુકાનું મુખ્ય મથક છે અને 69 ધરાવતો વિશાળ તાલુ
માળિયામાં સીએચસી હોસ્પિટલ 30નાં બદલે 50 બેડની બનાવાશે, ગીરનાં ગ્રામ્ય પંથકનાં લોકોને લાભ મળશે


ગીર સોમનાથ 4 ડિસેમ્બર (હિ.સ.) માળિયામાં રેલવે સ્ટેશન રોડ પર 30 બેડની હોસપિટલ કાર્યરત છે. આ હોસ્પિટલનું બિલ્ડિંગ જૂનું હોવાથી 15 કરોડના ખર્ચે નવી સીએચસી હોસ્પિટલંન બિલ્ડિંગ બનાવવા મંજૂરી મળી છે. માળિયા તાલુકાનું મુખ્ય મથક છે અને 69 ધરાવતો વિશાળ તાલુકો છે. આ હોસ્પિટલમાં 30નાં બદલે 50 બેડ મંજુર કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય વિસ્તારનાં ભગવાનજીભાઈ કરગઠિયા એ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા નેપત્ર પાઠવીને માંગણી કરી છે. ધારાસભ્યએ લખેલા પત્રમાં જણાવ્યું કે, માળિયા તાલુકો ગીરની બોર્ડર પરનો તાલુકો છે અને ગીર પંથકનાં ગામોના લોકો પણ આ હોસ્પિટલનો લાભ મોટી સંખ્યામાં લઈ રહ્યાં છે. જેથી 30ની જગ્યાએ 50 બેડની હોસ્પિટલ મંજુર કરવા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande