
Gujarat, 5 ડિસેમ્બર (હિ.સ.)-ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાની અધ્યક્ષતામાં મહુવા
તાલુકાની પુના આશ્રમશાળા ખાતે બાળ ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2025’ અને ‘કલાઉત્સવ’ યોજાયો હતો. શાળાના બાળકોની સર્જનાત્મક શક્તિ ઉજાગર કરવા
તેમજ વિજ્ઞાન-કળા પ્રત્યે રૂચિ વધારવાના ઉદ્દેશથી મહુવા તાલુકા પ્રા.
શિક્ષણાધિકારીની કચેરી અને બી.આર.સી ભવન દ્વારા ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ’થી આયોજિત આ કાર્યક્રમમાં
વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઇ વિવિધ પ્રોજેક્ટ્સ બનાવી પ્રદર્શિત કર્યા હતા.
આ પ્રસંગે તા.વિકાસ અધિકારી સંમેલનકુમાર પાવરા, મામલતદાર ભરત પટેલ, આશ્રમશાળાના આચાર્ય કલ્પેશ પટેલ, તા.પં.ના
સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળાના બાળકો અને શાળાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે