
ગીર સોમનાથ 5 ડિસેમ્બર (હિ.સ.)
જૂનાગઢ:
ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હીની તા. 30 નવેમ્બર, 2025ની જાહેરાત અનુસાર 01 જાન્યુઆરી, 2026ની લાયકાત તારીખ સાથેના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 માટેનું સુધારેલ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ હેઠળ મતદાર યાદી સંબંધિત તમામ તબક્કા નીચે મુજબ પૂર્ણ કરવાના રહેશે:
તબક્કો સમયમર્યાદા
નોંધણી (Enumeration) કાર્ય 11 ડિસેમ્બર, 2025 સુધી,
મતદાન મથકનું પુનઃગઠન/વ્યવસ્થાપન 11 ડિસેમ્બર, 2025 સુધી,
નિયંત્રણ કોષ્ટક (Control Table) અપડેશન તથા ડ્રાફ્ટ રોલ તૈયાર કરવું 12 થી 15 ડિસેમ્બર, 2025,
ડ્રાફ્ટ મતદાર યાદીનું પ્રકાશન 16 ડિસેમ્બર, 2025 ના રોજ થશે
દાવા અને વાંધા માટેની અવધિ 16 ડિસેમ્બર, 2025 થી 15 જાન્યુઆરી, 2026 સુધી રહેશે
નોટિસ, હિયરીંગ અને વેરિફિકેશન 16 ડિસેમ્બર, 2025 થી 07 ફેબ્રુઆરી, 2026 સુધી
મતદાર યાદીનું હેલ્થ પેરામીટર ચેકિંગ અને અંતિમ મંજૂરી 10 ફેબ્રુઆરી, 2026 સુધી
અંતિમ મતદાર યાદીનું પ્રકાશન 14 ફેબ્રુઆરી, 2026 (શનિવાર) રોજ થશે
*જૂનાગઢ જિલ્લામાં ડિજિટાઇઝેશનમાં નોંધપાત્ર પ્રગતિ*
જૂનાગઢ જિલ્લામાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2025 અંતર્ગત 02/12/2025 ની સ્થિતિએ 87.07 ટકા ડિજિટાઇઝેશન કાર્ય પૂર્ણ થયું છે. કુલ 13,00,344 મતદારોમાંથી 11,32,259 મતદારોના ફોર્મ ડિજિટાઇઝ થઈ ચૂક્યા છે.
જિલ્લામાં કુલ 1,36,885 મતદારો “અનકલેક્ટેબલ” કેટેગરીમાં છે, જેમાંથી:
મૃત્યુ પામેલા : 50,785
ગેરહાજર : 16,058
કાયમી સ્થળાંતર કરેલા : 64,099
પહેલેથી નોંધાયેલા : 5,583
અન્ય કારણોસર : 360
હજુ પણ 31,038 મતદારો (2.39%) એવા છે જેમણે પોતાના ગણતરી ફોર્મ જમા કરાવ્યા નથી.
જિલ્લા ચૂંટણી અધિકારીની અપીલ
જિલ્લા ચૂંટણી અધિકારી ની કચેરી દ્વારા મતદારોને અપીલ કરવામાં આવે છે કે તમામ મતદારો તા. 11 ડિસેમ્બર, 2025 સુધીમાં પોતાના ગણતરી ફોર્મ (Enumeration Form) સંબંધિત બી.એલ.ઓ.શ્રીને જમા કરાવે. ફોર્મ ન જમા થવા પર નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કમી થઈ શકે છે.
તેમજ, જે નાગરિકોની ઉંમર 18 વર્ષ થી વધુ છે, તેઓ ફોર્મ નં. 6 ભરી પોતાના મતદાન મથકના બી.એલ.ઓ.ને જમા કરીને નવા મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ