પાટણમાં માનસિક બીમારીથી પીડિત મહિલાએ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો
પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણના લાલેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતી સંજયકુમાર પ્રજાપતિની પત્ની સપનાબેન સંજયકુમાર પ્રજાપતિએ માનસિક બીમારીના કારણે પોતાના જીવનમાં અંત લાવવા માટે મંગળવારના બપોરે પાટણ-ચાણસ્મા હાઈવે પરના પદ્મનાભ ચાર રસ્તા નજીકની સિદ્ધી સરોવ
પાટણમાં માનસિક બીમારીથી પીડિત મહિલાએ કેનાલમાં કૂદીને આપઘાત કર્યો


પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણના લાલેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતી સંજયકુમાર પ્રજાપતિની પત્ની સપનાબેન સંજયકુમાર પ્રજાપતિએ માનસિક બીમારીના કારણે પોતાના જીવનમાં અંત લાવવા માટે મંગળવારના બપોરે પાટણ-ચાણસ્મા હાઈવે પરના પદ્મનાભ ચાર રસ્તા નજીકની સિદ્ધી સરોવર તરફ જતી કેનાલમાં છલાંગ લગાવી હતી.આપઘાતનો પ્રયાસ કરતા મહિલાને આજુબાજુથી પસાર થતા રાહદારીઓએ જોઈ હતી અને તરત જ તેણીને કેનાલમાંથી બહાર કાઢી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી દીધું.

જાણકારી મળતાં જ પોલીસને ઘટનાની માહિતી આપવામાં આવી હતી. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન બાદ ગુનો નોંધ્યો છે અને લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ વાલી-વારસોને સોંપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande