અમદાવાદમાં 614 વર્ષ પછી પ્રથમવાર નગરદેવી નગરચર્યાએ,મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યું
અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિ પર્વ પણ છે. આજે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા છે. ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને
For the first time in 614 years, Nagardevi Nagarcharya in Ahmedabad attracted a large number of people.


અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિ પર્વ પણ છે. આજે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા છે. ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને જયકારા સાથે નગરદેવીની નગરયાત્રા શરૂ થઈ ગઈ છે. ત્યારે પહેલીવાર નીકળેલી ભદ્રકાળી માતાની નગરયાત્રામાં ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા છે. અમદાવાદના મૈયર પ્રતિભા જૈન દ્વારા પહિંદ વિઘિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે.

નગરદેવીની યાત્રા જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પહોંચી. નગરયાત્રા ધીરે ધીરે સાબરમતી રિવરફ્રન્ટ તરફ આગળ વધી રહી છે. ઢોલ નગારા, ડીજે અને અખાડા જમાલપુર બ્રિજ થઈને રિવરફ્રન્ટ પર પહોંચ્યા છે.

જમાલપુર વૈશ્ય સભા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અને મુસ્લિમ આગેવાન ઇમરાન ખેડાવાલા દ્વારા નગરદેવી ભદ્રકાળી માતાજીને ફૂલહાર અર્પણ કરી દર્શન કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય દ્વારા મંદિરના ટ્રસ્ટીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.મહાનગરપાલિકા ઓફિસ ખાતે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ દ્વારા ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટીઓનું સ્વાગત કરવામાં આવ્યું

6.25 કિ.મી. લાંબી નગરયાત્રા ત્રણ દરવાજા, બાબા માણેકનાથની સમાધિ, જગન્નાથ મંદિર, રિવરફ્રન્ટ ઘાટ, લક્ષ્મી મંદિર, વસંત ચોક ચછા બહુચર માતાજી મંદિર ખાતે જશે અને પાદુકાની આરતી ઉતારવામાં આવશે.માતાજીની નગરયાત્રામાં માતાજીનો રથ, પાંચ છોટા હાથી, હાથી, અખાડા, નાસિક ઢોલ ગૃપ, પાંચ સાધુની ધજા, બેન્ડ વાજા, ડીજે ટ્રક, ત્રણ ભજન મંડળી, 15 ગાડી, 100 ટુ વ્હીલરોનો સમાવેશ થયો છે. ભક્તોમાં ભારે ઉલ્લાસ દેખાઈ રહ્યો છે. નગરયાત્રા શાંતિપૂર્વક સંપન્ન થાય તે માટે પોલીસે સઘન બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande