પોરબંદર, 27 મે (હિ.સ.)
પોરબંદરમા સાયબર ફ્રોડને લઇ હિરલબા જાડેજા સહિત છ જેટલ શખ્સો સામે ફરીયાદ નોંધવામા આવી હતી આ કેસમા હિરલબા જાડેજા સહિત ત્રણ આરોપીને પોલીસે ઝડપી લીધા હતા તો વધુ એક આરોપી ને મુંબઇ ખાતેથી ઝડપી લેવામા આવ્યો હતો સાયબર ફ્રોડના કેસમાં સચિન કનકરાય મહેતા નામના શખ્સનુ નામ સામે આવતા પોરબંદર પોલીસે આ શખ્સે મુંબઇ ખાતે થી ઝડપીઇ લીધો હતો અને તેમને પોરબંદર લાવામાં આવ્યો હતો કરોડો રૂપીયાન સાયબર ફ્રોડના કેસમા પોલીસ ઉંડાણ પૂર્વકની તપાસ કરી રહી છે. સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ ખોલી અને તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવતા હોવાનુ કહેવાય છે. સાયબર એરસ્મેન્ટ પણ કરવામાં આવતુ હોવાની પણ વિગત બહાર આવી છે. સાયબર ફ્રોડના ગુન્હામાં મુંબઇથી
ઝડપાયેલા સચિન કનકરાય મહેતા નામના શખ્સની પોલીસ પુછપરછ કરી રહી છે અને હજુ પણ અનેક ચોકાવનારી વિગતો બહાર આવશે તેવી પણ ચર્ચા જોવા મળી રહી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya