વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને, અમદાવાદ એરપોર્ટ ખાતેથી ભાવસભર વિદાય અપાઈ
ગાંધીનગર, 27 મે (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી આજે દિલ્હી જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવસભર વિદાય આપી હ
અમદાવાદ એરપોર્ટ


અમદાવાદ એરપોર્ટ


ગાંધીનગર, 27 મે (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરી આજે દિલ્હી જવા રવાના થયા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવસભર વિદાય આપી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ તથા કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભાબહેન જૈન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, જીએડીના અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, એર માર્શલ નાગેશ કપૂર, મેજર જનરલ ગૌરવ બગ્ગા, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિત વરિષ્ઠ અધિકારીઓ અને ઓફિસરોએ પણ વડાપ્રધાનને ભાવસભર વિદાય આપી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande