ગણદેવી તાલુકાની વિદ્યાકુંજ ઇંગલિશ મીડિયમ સ્કુલ ખાતે બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરાયું
નવસારી, 27 મે (હિ.સ.)-બાળકો પ્રગતિનો આધાર સ્તંભ છે યોગ થકી આપના બાળકને સ્વસ્થ તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામ
Navsari


નવસારી, 27 મે (હિ.સ.)-બાળકો પ્રગતિનો આધાર સ્તંભ છે યોગ થકી આપના બાળકને સ્વસ્થ તેજસ્વી અને મેદસ્વિતા મુક્ત માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે આજરોજ નવસારીમાં ગણદેવી રોડ ઉપર આવેલી વિદ્યાકુંજ ઇંગલિશ મીડિયમ સ્કુલ ખાતે બાળકો માટે યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતીમાં કરાયું હતું.

આ પ્રસંગે કલેક્ટરએ બાળકોને મોબાઇલનો વધુ પડતો ઉપયોગ તથા જંકફૂડ જેવી કુટેવથી દૂર રહેવા સલાહ આપી યોગના ફાયદા જણાવી બાળકોને ખૂબ પ્રેરણાદાયક આશીર્વચન પાઠવ્યા હતા. આ સમર યોગ કૅમ્પમાં બાળકો દ્વારા માતાપિતાનું પૂજન કરવામાં આવ્યું હતું જેના થકી બાળકો અને માતાપિતા ભાવવિભોર થયાં હતા.

આ પ્રસંગે ઝોન કો ઓર્ડીનેટર પ્રીતિબેન પાન્ડે અને જિલ્લા કો ઓર્ડીનેટર ગાયત્રીબેન તલાટી દ્વારા તમામ યોગ સમર કેમ્પની માહિતી કલેક્ટરને આપી નવસારીમાં કુલ પાંચ સ્થળે ચાલી રહેલા યોગ સમર કેમ્પ અંગે જાણકારી આપી લગભગ 500 થી વધુ બાળકોઆમાં ભાગ લીધો છે એમ જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande