અરવલ્લીઃ ગાયત્રી પરિવાર હરિદ્વાર પ્રેરીત બાયડ-ધનસુરા તાલુકાના સંયુકત ઉપક્રમે વ્યસનમુક્તિ સપ્તાહનું આયોજન
મોડાસા, 28 મે (હિ.સ.) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ બાયડ દ્વારા બાયડ ધનસુરા તાલુકાના સંયુક્ત ઉપક્રમે વ્યસનમુક્તિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વાત્રક ખાતે આવેલી શ્રીમંત ફતેસિંહ ગાયકવાડ ગાયકવાડ જ
*Aravalli: Gayatri Family Haridwar inspired by Bayad-Dhansura taluka organizes a joint initiative to organize a week of drug addiction*


મોડાસા, 28 મે (હિ.સ.) અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત ગાયત્રી શક્તિપીઠ બાયડ દ્વારા બાયડ ધનસુરા તાલુકાના સંયુક્ત ઉપક્રમે વ્યસનમુક્તિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વાત્રક ખાતે આવેલી શ્રીમંત ફતેસિંહ ગાયકવાડ ગાયકવાડ જનરલ હોસ્પિટલમાં વ્યસન મુક્તિ પ્રેઝન્ટેશન અને વ્યસનમુક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં હોસ્પિટલ ટ્રસ્ટી મંડળના સભ્યો, નર્સિંગ તથા અન્ય સ્ટાફ અને દર્દી તથા તેમના સગાવહાલાઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારબાદ વ્યસન છોડવા અને ભવિષ્યમાં વ્યસન ન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. વ્યસનમુક્તિ પુસ્તિકાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું આ સપ્તાહ ઉજવણી કાર્યક્રમ 25 મે થી શરૂ થઈ છે.

જેમાં વ્યસનમુકિત કાર્યક્રમના જિલ્લા સંયોજક ગુણવંતભાઈ ગોસ્વામી તથા બાયડ પરિજન કૌશિકભાઈ પંચાલના માર્ગદર્શન હેઠળ યુવા પ્રકોષ્ટની ટીમ વિજયભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ દરજી,વિનુભાઈ પટેલ હિમાલયભાઈ સોલંકી તથા દક્ષ સોલંકી એ સવેલા, ઉભરાણ, દેસાઈપુરા ગામમાં આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત સંકલ્પ યજ્ઞ, પ્રદર્શની, પ્રેઝન્ટેશન જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આસપાસના ગામમાં આ સમાજોત્કર્ષ કાર્યની ભરોભાર પ્રશંસા કરવામાં આવી રહી છે. 31 મે વિશાળ સવારે 9.00 વાગ્યે બસસ્ટેશનથી વ્યસમુક્તિ રેલી અને પૂતળા દહન દ્વારા આ સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવનાર છે. બાયડ અને આસપાસની જનતાને આ વિશાળ રેલીમાં આવવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande